Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 519
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે. ingri , * કાપવા = 3:00 EVENrhitralinilallaiાનામાં લile: તા I િરીતil Edi-નાળ વીર શ્રી પાર્શ્વનાથાદિ ચરિત્ર. 1 ના લાંછનરૂપ સર્ષની ફણાના મણિકિરણથી, મુખચંદ્રથી અને નHછે ખના કિરણોથી ત્રણ જગતને અંધકાર નાશ પામે છે, તે પાજા નાથ પ્રભુ તમને પવિત્ર કરો. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વારા ણ સી નામે નગરી છે, જે ગંગાનદીના પ્રતિબિંબથી જાણે સ્વર્ગપુરી હોય તેવી સૌરાજયવતી દેખાય છે. તે નગરીમાં ભારત વંશને વિષે ઈશ્વાકુ કુળમાં યશરૂપ છત્રવાળા, ગુણોના ઘર જેવા અને જિનાજ્ઞાને કળશની જેમ મસ્તકે ધારણ કરનારા અશ્વસેન નામે રાજા થયા. તેને આલ્હાદકારી ગુણોથી શોભિત, શુદ્ધ હૃદયવાળી, સર્વ સ્ત્રીઓના શિરેરલ જેવી અને શીલના ધામરૂ૫ વામા નામે વલ્લભા હતી. એક વખતે તે રમીએ રાત્રિને ચોથે પહેરે સુખશય્યામાં સુતાં હતાં તે સમયે સુખની ખાણરૂપ ચૌદ સ્વ જોયાં. તે દિવસે એટલે ચૈત્રમાસની શુકલ ચતુર્થીએ ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવ્યું હતું તે વખતે તેના ગર્ભમાં પ્રાણત દેવલેકમાંથી ચવીને જિનેશ્વર થનાર જીવ ઉત્પન્ન થયે. તે કાળે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. ગર્ભસમય પૂર્ણ થતાં પૌષ માસની શુકલ દશમીએ, વિશાખા નક્ષત્રમાં ચદ્રનો વેગ થતાં, સુર અસુરોને પૂજ્ય અને સર્ષના લાંછનવાળા એક પુત્રને વામા દેવીએ જન્મ આપે. દેવીઓએ રાજભુવનમાં અને દેવોએ મેરૂગિરિપર લઈ જઈને જન્મ મહેસવ કર્યો. અશ્વસેન રાજાએ પણ હર્ષ ધરીને પિતાના વૈભવના ઉત્કર્ષથી મોટો ઉત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાએ પાર્શ્વ (પડખા) માં પ્રસરતા સર્પને જે હતું, તેથી પિતાએ તેમનું પાર્શ્વ એવું નામ પાડ્યું. પછી તેમણે આ વય અલ્પદોષવાળી છે, એવું જાણું બાલ્યવય ગ્રહણ કરી, પણ તેને અનુભવ કરીને સર્વ દોષને છોડનારા પ્રભુએ તે વયને પાછી છોડી દીધી. તે વિચાર પણ તેમણે ઘટ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542