________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ છ મો. ] મહેંદ્ર, ગ્રહ્મેદ્ર અને ભવનંદ્રનો અનુક્રમે ચોથો પાંચમો તથા છઠ્ઠો ઉદ્ઘાર ૫૫ બેલી હૈ દેવતાએ ! મારી ઉપર પ્રસન્ન થાએ અને મારાપર વાત્સલ્ય લાવીને ક્રોધ કરવા છેડી દ્યો. હે સ્વર્ગવાસી દેવે ! જો હવે ફરીવાર આવાં નૃત્યનું મનમાં પણ રમરણ કરૂં તે ત્રણ જગતે નમેલા આ શ્રી આદિનાથના ચરણના મને સેાગન છે. આ વિષે જગતમાં સર્વને જોનારા એવા તમે સાક્ષી છે. હે દયાળુ દેવ ! આ મારા પ્રથમ ચેષ્ટિતને માટે મને ક્ષમા કરો. છ આ પ્રમાણે કહેતી તે દેવીને દેવતાઓએ છેડી મૂકી. સત્પુરૂષો અપરાધી છતાં પણ નમેલા પ્રાણી ઉપર કક્રિષણ કાપ કરતા નથી. ત્યારથી આ તીર્થનેવિષે તે હસ્તિની દેવી રિતસેના પુરીમાં રહી પૂર્વની જેમ અતિભક્તિથી સંધની રક્ષા કરવા લાગી.
એકઢા ચોથા દેવલોકના પતિ અતિભક્તિવાળા માજેંદ્ર નામના ઈંદ્રે પ્રભુના પ્રાસાદેાને જરા જીર્ણ થયેલા જોયા. અહે। ! આવા જગત્હિતકારી તીથૅઉપર ‘ આવી જીર્ણતા કેમ થઈ હશે ! જરૂર તે દેવીનુંજ આ ચેષ્ટિત લાગેછે’--એમ મનમાં માણંદ્રને ચિંતવન થયું. પછી દિવ્યશક્તિવાળા વ≠કિની પાસે ઈંદ્રે પેાતાની ભક્તિ જેવા નવીન પ્રાસાદા કરાવ્યા. એવી રીતે બાહુબલિ, કાદંબ, તાલધ્વજ, રેવતાદ્રિ અને બીજાં શિખરા ઉપરના ચૈત્યોના પણ ઉદ્ધાર કરાવ્યો. ઈશાનઇંદ્રના ઉદ્દારને કાર્ટિસાગરોપમ કાલ ગયા પછી શત્રુંજય ઉપર માહેંદ્રઇંદ્રના ચાચા ઉદ્ધાર થયા.
એક વખતે ઐરવત ક્ષેત્રમાં દેવતાએ શ્રીજિનજન્માત્સવ કરી આઠમા નંદીશ્વરદ્દીપે આવ્યા. ત્યાં આઠ દિવસસુધી શ્રીજિનાર્ચનાદ મહેાત્સવે કરી તે સિદ્ધાચળ ઉપર શ્રીઆદિનાથને નમસ્કાર કરવાને આવ્યા. ત્યાં આઠ દિવસસુધી ભક્તિવડે પ્રભુની પૂજા કરી. તે અવસરે પુણ્યના મંદિરરૂપ પ્રભુના પ્રાસાદા જીર્ણ થયેલા તેમના જોવામાં આવ્યા. પછી સર્વ દેવતાએ અનુમાદિત કરેલા બ્રહ્મદ્રે ભક્તિવડે જાગ્રત થઈ દિવ્યશક્તિવડે શ્રીવિમળાચળના ઉદ્વાર કર્યો. માહેદ્રે કરેલા ઉદ્ભારથી દશકેાટિ સાગરોપમ કાળ ગયા પછી શ્રીશત્રુંજયગિરિ ઉપર અૌંદ્રને એ પાંચમે ઉદ્ધાર થયેા.
એક વખતે ચરેંદ્ર વિગેરે ભવનપતિના ઇંદ્રો સ્વેચ્છાથી ભક્તિવડે નંદીઘરદ્વીપે ગયા હતા, તેવામાં સ્વરૂપથી કામદેવને જીતનારા અને ભવનેંદ્રોએ નમેલા બે વિદ્યાધરમુનિ તીર્થયાત્રા કરવા માટે ફરતા ફરતા ત્યાં આવી ચડયા. તેમણે પ્રસન્ન થઈ જગતમાં શ્રેષ્ઠ અને શ્રવણ કરવાથી પણ પવિત્ર કરે તેવા પુંડરીગિરિના મહિમા તેમની પાસે કહ્યો. પછી તે બન્ને મુનિએ પ્રેરણા કરેલા ભુવનપતિ દેવા ઇંદ્રસહિત મુખ્ય તીર્થની યાત્રા કરવાને ઉત્કંઠિત થઈ તે મુનિએની સાથે શત્રુંજય ઉપર આવ્યા, ત્યાં ભક્તિથી દાનાર્ચન વિગેરે કરી સર્વ તીર્થ્રોપર
For Private and Personal Use Only