________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૮ મો.] શ્રી શાંતિનાથજીનું શત્રુંજય ગિરિપર ચોમાસું.
રલ “મન્યા છતાં અતિ રેષ ધરીને આવી નરકની માતાતુલ્ય હિંસા કરવાને કેમ ઉ“ઘમવંત થાય છે ? હે વિપ્ર! પૂર્વભવમાં હિતોપદેશ દેનારા મુનિઉપર તને ક્રોધ થયે “હતો તેનું ફળ તને તેજ વખત મૃત્યુપ્રાપ્તિરૂપ થયું હતું, માટે હવે જીવહિંસા છોડી બ, દયા અંગીકાર કર, ધર્મને ભજ અને ખેદ પામ્યાવિના તીર્થની આરાધના “કર.” આ પ્રમાણે ધર્મવચનથી પ્રતિબોધ આપી પ્રભુ આગળ ચાલ્યા; એટલે જેનું મન શાંત થયેલું છે એવો તે સિહ પ્રભુની પછવાડે ચાલ્યો. સ્વર્ગગિરિપર આરૂઢ થતાં પ્રભુએ પછવાડે આવતા તે સિંહને કહ્યું “સર્વ પ્રાણું ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંજ તને સ્વર્ગગતિ મળશે અને પછી એક અવતારે તને મોક્ષની પ્રાપ્તિ થશે.” આવી પ્રભુની આજ્ઞા થતાં એ સિંહ પ્રભુની આજ્ઞાન આરાધનમાં તત્પર થઈ પ્રભુનું જ ધ્યાન કરતો અને મુનિની જેમ શાંત મન ધરતો દયામાં દક્ષ થઇને ત્યાંજ સ્થિત છે. શુભ ધ્યાનપૂર્વક આયુષ્યને અંતે મૃત્યુ પામી તે ઉત્તમ સ્વર્ગગતિને પામ્યો. કદિ પણ તીર્થને પ્રભાવ નિષ્ફળ થતું નથી.
અનેક દેથી પરવરેલા પ્રભુ શાંતિનાથે અજિતનાથ રવાસીની પેઠે મરૂદેવા શિખર ઉપર રહીને ચાતુર્માસ નિમન કર્યો. ત્યાં ગાંધર્વ, વિદ્યાધર, દેવતા, નાગકુમાર અને મનુષ્ય આવી, પ્રીતિથી મસ્તક નમાવી પ્રતિદિન પ્રભુની પૂજા કરતા હતા. ચાતુર્માસ પૂર્ણ થયા એટલે શાંતિનાથ ભગવાને વિશ્વને બોધ આપવા માટે સૂર્યની જેમ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પેલા સિંહદેવે સ્વર્ગમાંથી આવી પ્રભુના રહેવાવડે પવિત્ર થયેલાં તે મરૂદેવા શિખર ઉપર શ્રી શાંતિનાથજીનું પ્રતિમા સહિત ચૈત્ય કરાવ્યું. તે સિવાય પિતાની સ્વર્ગગતિના હેતુરૂપ સ્વર્ગિરિ નામના શિખર ઉપર પોતાની પ્રતિમા સાથે બીજા જિનપ્રાસાદે કરાવ્યા. સિંહદેવ અને તેના અનુગામી દેવવડે યુક્ત એવું તે શિખર શ્રી શાંતિનાથની ભક્તિ કરનારની સર્વ કામના પૂરે છે અને પૂર્વાભિમુખે રહેલાં તે ચૈત્યથી પાંચસે ધનુષ દૂર ઈશાન કૃણમાં એક યક્ષ રહે છે તે ચિંતામણિરલને આપે છે. વળી ત્યાં કલ્પવૃક્ષને અધિષિત થઇને કોટિ દેવતાઓ રહેલા છે, તેઓ શ્રી શાંતિનાથનું આરાધન કરનારને સર્વ વાંછિત આપે છે. અતિ પુણ્યવાનું પ્રાણુઓને ત્યાં તે તીને અને તીર્થકરને આશ્રય કરવાથી પારલૌકિક સિદ્ધિ થાય છે, તેમાં કોઈ પણ સંશય નથી.
સર્વ શિખર ઉપર વિહાર કરીને ચરણન્યાસથી પૃથ્વીને પાવન કરતા શ્રી શાંતિનાથ ભગવાન અનુક્રમે હસ્તિનાપુર આવ્યા. શાંતિનાથજીના પુત્ર ચકધર પ્રભુને આવેલા જાણું પરિવાર સાથે સત્વર વાંચવા આવ્યા. નમસ્કાર કરી સ્તુતિ કરીને સર્વ સભ્ય બેઠા, એટલે પ્રભુનાં મુખરૂપ કમળમાંથી મકરંદની જેમ દેશના
For Private and Personal Use Only