________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
વન વીર
હનુમાન, નીલ, નિસાથી ભામંડલે પરિવાર
સર્ગ ૯ . ] સીતાની શોધમાં ગયેલા હનુમાને લંકામાં બતાવેલું પરાક્રમ. ૩૧૯ એક બાણથી કપટ સુગ્રીવને પ્રાણરહિત કરી દીધે. સત્ય સુગ્રીવને સર્વ પરિવાર એકઠા થયે એટલે દશરથીએ તેને તેનાં રાજયઉપર પુનઃ બેસાર્યો. તે સમયે અને વસરને જાણનાર વિરોધ અને અગાધ બળવાળો ભામંડલ પરિવાર સાથે ત્યાં આવ્યા. જાંબવાન, હનુમાન, નીલ, નિષધ, ચંદન, ગવાક્ષ, અને અંગદ વિગેરે બળવાન વિરેને સુગ્રીવે એકઠા કર્યા. પછી કપીશ્વર સુગ્રીવે સીતાને રાવણ હરી ગયે છે એવા ખબર મેળવીને રામની આજ્ઞાથી તેની ખાત્રી કરવાને માટે મહાબમળવાનું અને વિનીત એવા હનુમાનને મોકલ્યા.
સીતા કે જે પરભાર્યા થવાને ઇચછતી નહોતી તેને પોતાની પલીઓ દ્વારા રાવણ અહર્નિશ સમજાવતા હતા. વિભીષણાદિક સજજનેએ અને મંત્રીઓએ રાવણને વારંવાર સમજાવ્યું, તો પણ તેણે જાનકીને છેડી નહીં, કારણ કે ભવિતવ્યતા કદિપણ ફરતી નથી.
હવે વાયુને પુત્ર હનુમાન્ આકાશમાં ચાલતાં માહેંદ્ર પર્વત ઉપર આવ્યું. ત્યાં પિતાના માતામહ મહેંદ્ર રાજાનું નગર જોઈ વિચાર કરવા લાગે કે આ મહેંદ્ર મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી, તો તેને કાંઈ પણ મારું બળ બતાવું. આ વિચાર કરી હનુમાને ક્રોધથી સિંહનાદ કર્યો. તે સાંભળી માહેંદ્ર રાજાએ કોપથી નગર બહાર નીકળી યુદ્ધને માટે હનુમાનને બેલા. ચિરકાળ યુદ્ધ કરીને પ્રાંતે મોહ પામેલા માતામહને નમરકાર કરી પિતાનું સ્વરૂપ જણાવી હનુમાન્ પિતાના સ્વામીનું કાર્ય કરવાની શીવ્રતા હોવાથી ત્યાંથી નીકળે. અનુક્રમે લંકાના પરિસર ભાગમાં આવી આશાળી વિદ્યાને હણી હનુમાને રણમાં આવેલા વજમુખને માર્યો. પછી પવનકુમારે લંકા સુંદરીને પણ જીતી ગાંધર્વવિધિવડે તેની સાથે પર, અને તે રાત્રિ તેની સાથે આનંદમાં નિર્ગમન કરી. પ્રાતઃકાળે વિભીષણને ઘેર આવ્યું. હનુમાનનાં વચનથી વિભીષણ રાવણને સમજાવવા ગયે અને હનુમાને ત્યાંથી ઠેકી જયાં સીતા રહેલાં છે, તે વનમાં આવ્યું. ત્યાં રાક્ષસીઓથી વીંટાએલી, મલિન વસ્ત્રને ધરનારી અને ક્ષુધાથી ગ્લાનિ પામેલી સીતા રામના નામનું રટણ કરતી જોવામાં આવી. તેને જોઈ હનુમાને વિચાર્યું કે સીતા ખરેખર વિશ્વપાવની સતી છે. આવી રૂપસંપત્તિવાળી સતીને માટે રામ ખેદ કરે છે તે ઉચિતજ છે. પછી કપિરાજે ગુપ્ત રહી રામની આપેલી મુદ્રા સીતાના ઉલ્લંગમાં નાખી. તે મુદ્રિકા જઈને સીતા હર્ષથી ઉછાસ પામ્યાં. સીતાને હર્ષ પામેલાં જઈ ત્રિજટા રાક્ષસીએ તે વાત્ત રાવણને કહી, એટલે રાવણે દતકાર્યમાં પંડિત એવી પોતાની સ્ત્રી મંદોદરીને સીતા પાસે મોક્લી. સીતાએ મંદોદરીને તિરરકાર કર્યો તે જોઈ
૧ બીજાની સ્ત્રી. ૨ છેવટે. ૩ ઉતાવળ. ૪ હનુમાન. ૫ વીંટી.
For Private and Personal Use Only