Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 484
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] ગૃહાંગણે આવેલા બે મુનિઓને જોઈ અંબિકાને થયેલ હ. ૪૫૮ દ્રના બિંબને તિરસ્કાર કરનારી, બિબ જેવા અધરવાળી, શીલધર્મને આ રાધનારી, પતિના સુખનું સ્થાન અને અસત્યને છોડનારી અંબિકા નામે સ્ત્રી હતી. લક્ષ્મી ચપળ છે, સરસ્વતી માત્ર વાણુંમાં ફલવતી છે, ચંદ્રની લેખા કુટિલ અને આકાશમાં રહેલી છે અને ઈંદ્રાણુને શેનું સાલ છે, તેથી એ સારા આચરણવાળી અંબિકાને કોની ઉપમા આપીએ! અનુક્રમે સોમભટ્ટને પિતા દુર્દેવભટ સ્વર્ગમાં ગયે, તેની સાથે સોમભટ્ટને જૈન ધર્મ પણ સ્વર્ગમાં ગયે. ઉદાર બુદ્ધિવાળી અંબિકા તેની સંગતિથી ભદ્રિક ભાવને ધારણ કરવા લાગી. એક વખતે તે દુર્દેવભટ્ટનો શ્રાદ્ધને દિવસ આવ્યું. સૂર્ય ગગનના મધ્યભાગે આવ્યા હતા તે સમયે માપવાસથી કર્મની હવેલીઓને તેડનારા બે મુનિ સેમભટ્ટને ઘેર આવી ચડ્યા. તપ અને ક્ષમાથી સૂર્ય ચંદ્ર જેવા, કર્મરૂપી મહાગની ચિકિત્સા કરવાથી અશ્વિનીકુમાર જેવા અને ગુરૂ અને બુધની જેમ વિબુધને સેવવા યોગ્ય એવા તે મુનિઓને જોઈ અંબિકા હર્ષ પામી. અનંત ભક્તિથી તે મનમાં વિચારવા લાગી કે આજે પર્વ દિવસે મારા અગણ્ય પુણ્યથી ક્ષમારૂપ સરિતાના પર્વતરૂપ આ બે મુનિઓએ મારા ગૃહના આંગણાને અલંકૃત કર્યું છે. આજે મારે સુખકારી પર્વ થયું, અસંખ્ય સુખને આપનાર ઘણા પુણ્યની પ્રાપ્તિ થઈ, અને આ મુનિના દર્શનથી ક્ષીરસાગરમાં દેવાયું હોય તેમ મારાં બે નેત્ર પવિત્ર થયાં. અત્યારે મારી અનાર્ય સાસુ ઘેર નથી, દાન આપ્યાવિના મારું ચિત્ત પ્રસન્ન થતું નથી અને ઘરમાં શુદ્ધ ધાન્ય પણ છે, માટે આ મુનિઓને પ્રતિલાભિત કરું. આ વિચાર કરી હર્ષના ભારથી નેત્રમાં અબુ અને અંગપર રેમાંચ ધારણ કરતી અંબિકા આસન ઉપરથી ઊભી થઈ અને હાથમાં અન્ન લઈને ભક્તિથી મુનિ પ્રત્યે કહેવા લાગી હે મુનિરાજ! કૃતાર્થ અને ઉત્તમ પ્રકૃતિવાળા તમે મારા પૂર્વ સુકતથી અહીં પધાર્યા છે, માટે કૃપા કરીને આ અન્ન ગ્રહણ કરે, જેથી હું પવિત્ર પુણ્યવતી થઉં. તેના ચિત્તની અને અન્નની શુદ્ધિ જોઇને પૂજાપાત્ર મુનિએ તેની પાસે પાત્ર ધર્યું, એટલે અંબિકાએ હર્ષથી ઉત્તમ ગતિનું જાણે બીજ વાવતી હોય તેમ તેમાં અન્ન વહેરાવ્યું. બન્ને મુનિએ હર્ષ ધરીને બળથી પાપરૂપ હાથીને મારવામાં સિંહ જેવો ધર્મલાભ કહ્યો, જેથી સિંહની જેમ અંબિકાને મુક્તાની પ્રાપ્તિને લેભ વધે. પછી બંને મુનિ તેના ઘરમાંથી ચાલ્યા ગયા, ૧ સિંહ હાથીને મારે એટલે તેના માથામાંથી મુક્તાફળ નીકળે છે, તેમ પાપરૂપ હાથીને મારનાર ધર્મલાભરૂ૫ સિંહથી અંબિકાને મુકતા–એટલે મુક્તિનો લોભ વધ્યા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542