________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧ મે. ] હસ્તિપદ કુંડના માહાય ઉપર દુર્ગધાની કથા.
૩૮૯ દેવને પ્રણામ કર્યો. પછી ગિરિને પ્રદક્ષિણા કરીને ત્યાંથી પૂર્વક સંચય હણવાને માટે વેગથી રૈવતાચલ તરફ ચાલી. શુભ વાસનાવાળી તે સ્ત્રી ઉત્તર તરફના માર્ગથી રૈવતાચલ ઉપર ચડી અને હર્ષભરી હાથીપગલાના કુંડ પાસે આવી. અહંતનાં ચયની પાસેના તે કુંડમાં પ્રવેશ કરી તેમાંથી પાણી બહાર લાવીને નિત્ય સ્નાન કરવા લાગી. એવી રીતે સ્નાન કરતાં સાત દિવસે તે દુર્ગધરહિત અને શુભ ગંધવાળી થઈ. પછી જિનપૂજનને માટે તે જિનમંદિરમાં જવા લાગી. તે વખતે અર્જુન ત્યાં હતા. તેણે પ્રભુની પૂજા કર્યા પછી બહાર આવતાં મુનિએ કહેલે તેને પૂર્વભવ આપ્રમાણે સાંભળે. “હે વત્સ! તું પૂર્વભવમાં બ્રાહ્મણનાં કુળમાં ઉત્પન્ન થઈ હતી. તે વખતે કેઈ લેતાંબરી મુનિનું તે આ પ્રમાણે ઉપહાસ્ય કરેલ હતું–આ શ્વેતાંબરી મુનિઓ વનમાં રહે છે, તે છતાં સદા સ્નાન કરતા નથી. અને તેઓ પોતાના શ્વેત વસ્ત્રને ઉલટાં મલીન કરે છે. એવું કહી મુખ મરડતા અને હાથે ઉછાળતા તે જે કુકર્મ ઉપાર્જન કર્યું, તેનું જે ફળ તે ભગવ્યું તે સાં ભળ. ત્યાંથી મૃત્યુ પામ્યા પછી તું નરકમાં ગઈ, ત્યાંથી શ્વાનની નિમાં અને પછી ચંડાલના કુળમાં ઉત્પન્ન થઈ અને પછી ગ્રામની ડ્રકરી થઈ. એવી રીતે દુષ્ટભવમાં ઘણું પરિભ્રમણ કરી અનુક્રમે આ ભવમાં માનુષી થઈ. પરંતુ નામથી અને પરિણામથી દુર્ગધા થઈ છે. ત્રણલેકવાસી જનેમાં શ્રેષ્ઠ અને ગીઓને પણ પૂજ્ય એવા શ્રીજીનેશ્વર છે, તેથી તેની મુદ્રાને ધારણ કરનાર દિયારહિત એવા મુનિજનેની પણ નિંદા કરવી ગ્ય નથી. તો જે મહાવ્રત ધરનારા, મિથ્યાત્વને નાશ કરનારા અને જે અહંતના શાસનને પ્રકાશિત કરનારા મુનિઓ છે તેઓ તો નિંદા કરવાગ્ય કેમજ હેય? જેઓ નિષ્ક્રિય છતાં પણ લેકમાં ધર્મના ઉપદેશક કહેવાય છે તેવા મુનિ (યતિ) “ધર્મલાભ” એટલી વાણીવડે પણ નમવાયેગ્ય છે તે તેમની નિંદા કેમ થાય ? હે દુર્ગધા ! આ તીર્થના પ્રભાવથી કેટલાંક કર્મોને ખપાવતાં તને બેલિબીજ પ્રાપ્ત થયેલ છે, તે હવે આ તીર્થની વિશેષ સેવા કરે છે જેથી સંસારનો ક્ષય થાય.” આ પ્રમાણે કહી તે મુનિ વિરામ પામ્યા એટલે દુર્ગધાએ અને અર્જુને તીર્થના લાભથી હર્ષ પામી પ્રભુને અને મુનિને વંદના કરી. પિતાના આત્માને ધન્ય માનતે અર્જુન તે તીર્થમાં શુભવાસનાથી મણિચંડ સાથે ત્રણ દિવસ સુધી રહ્યો.
તે અવસરે કૃષ્ણને ખબર પડ્યા કે પાંડુકુમાર અર્જુન રૈવતાચળ પર આવેલા છે, એટલે તેણે હર્ષથી ત્યાં આવી પિતાની બેન સુભદ્રાને પરસ્પર પ્રીતિની ૧ કોઈપણ ક્રિયા નહિ કરનારા.
For Private and Personal Use Only