________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
પૂર્વે પ્રતિષ્ઠાનપુર નામે નગરમાં યજ્ઞકર્મમાં નિષ્ઠાવાળા અને અતિ દુમુદ્ધિવાળા કાઈ મિથ્યાત્વી બ્રાહ્મણ રહેતા હતા; તે પ્રતિદિન યજ્ઞ કરતા. એકદા કાઈ મુનિ તેના યજ્ઞસ્થાનમાં આવી ચડ્યા. તે વખતે તે હિંસક દ્વિજ તેની ભક્તિવાળા લોકેાના સમૂહથી પરવરેલા ત્યાં બેઠેલા હતા. તે સમયે ત્યાં હિંસા થતી જોઈ મુનિ હૃદયમાં કચવાઇને બેલ્યા શુદ્ધ સિદ્ધાંતને કૃષિત કરનારા આ લૉકાને ધિક્કાર છે, પૂર્વે ભરતરાજાએ જે ધર્મતત્પર વેદ રચેલા હતા, તેઓને આ ગ્રાસસંધ પુરૂષા પ્રાણીની હિંસાથી દૂષિત કરે છે.” આવાં તેમુનિનાં વચન સાંભળી એ અધમ બ્રાહ્મણને ક્રોધ ચઢયા, તેથી તે તત્કાળ દુષ્ટબુદ્ધિપૂર્વક મુનિને મારવા માટે શ્રવ' ઉપાડી વેગથી દોડયો. ક્રોધમાં અંધ બનીને દાડતા એ વિષે અતિ ઊંચા યજ્ઞસ્તંભ સાથે અથડાર્થને પેાતાના અપરાધી થયેલા પ્રાણને છેડી દ્વીધા. આર્ત્તધ્યાને મૃત્યુ પામીને તે વિપ્ર સિંહેાવાનમાં કેશરીસિંહ થયો; પરંતુ પ્રાંતે થયેલાં મુનિદર્શનના પુણ્યથી ઉત્તમ તીર્થને પામ્યા. ત્યાં અનેક પ્રાણીઓને ત્રાસ પમાડતા ફરતા હતા, તેવામાં તેણે શાંતિનાથ પ્રભુને ધ્યાનારૂઢ થયેલા જોયા. શાંતિનાથ પ્રભુનાં દર્શનથી શિતાપચારથી જવરની જેમ અને સામવાક્યથી ખલ પુરૂષની જેમ તેના કાપાગ્નિ વિશેષ પ્રવાલત થયા; તેથી મર્મરધ્વનિથી દૂષિત એવી પૃથ્વીપર પુછ પછાડી ચાહી જેવાં રાતાં નેત્ર કરતા તે મંત્ર ઉપાડીને પ્રભુ સામે દાયો. પ્રભુની પાસે પાંચ હાથ નજીક આવતાંજ એ પાપી સિંહ ભિંત સાથે અફળાવાથી ઢે પાછું પડે તેમ સ્વયમેવ સાત ધનુષુ જેટલા પાછા પડયો. પાતે ફાળ ચૂક્યા છે એવું માની અતિ ક્રોધ કરી ઊંચુ પુંછ લઈ પાછે। તે પ્રભુ ઉપર દાડયો, વળી પાછે પડ્યો; એમ વારંવાર સ્ખલના પામવાથી અતિ ક્રોધવાન્ સિંહ પેાતાને રખલિત થવા જેવું આગળ કાંઇ પણ જોવામાં ન આવ્યું, એટલે મનમાં વિચાર કરવા લાગ્યો કે અહીં મને આડું આવે તેવું મારી આગળ કાઈ જોવામાં આવતું નથી અને મારી ફાળ નિષ્ફળ જા– યછે, તેથી આ કાર્ય શાંતમૂર્ત્તિવાનું અસાધારણ પુરૂષ લાગેછે. એવું વિચારી વારંવાર પ્રભુતરફ જોતાં પૂર્વોક્ત પ્રકારના પાપકર્મવાળા પૂર્વભવનું તેને રમરણ થઈ આવ્યું; તેથી જેના કાપ શાંત થયેલા છે એવા તેને જાણીને પ્રભુએ કહ્યું “ તપેલા તેલમાં જળ નાખવાથી ઉલટા દાહ ઉત્પન્ન થાયછે” એમ જાણી પ્રથમ કહ્યું નહતું. “હે બ્રાહ્મણ! તું તારા પૂર્વભવને સંભાર કે જે ભવના પાપકર્મથી તું મૃગના “ધાત કરનાર સિંહ તિર્યંચયોનિમાં થયોછે. હું મૂર્ખ ! હમણાં તીર્થંકરનું સાનિધ્ય
૧ ખાવાના રસમાં અંધ થયેલા—માંસ મદિરા ખાવાની ઇચ્છાવાળા. ૨ ‘શ્રવ’ એ હેામવાનું કામચ પાત્ર થાયછે, તેને ગુજરાતી ભાષામાં સરવા' કહેછે.
For Private and Personal Use Only