________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૮ મે. ] પુત્રોનાં મૃત્યુથી ચક્રવર્તીને થયેલો ખેદ.
ર૭૭ પ્તિથી કેમ મોહ પામે છે ? આ સંસારમાં કોઈ જીવ પિતાનાં કર્મથી અલ્પાયવાળા થાય છે અને કોઈ દીઘાયુવાળા થાય છે, તે તેમના જન્મ અને ક્ષયમાં શી ચિંતા કરવી ? પૂર્વે વૈરાગ્ય વચનથી તમે જ મને બોધ આપતા હતા. અને અત્યારે તમેજ આમ કરો છો તે કેવી વાત કહેવાય ? ” ઇંદ્ર આપ્રમાણે કહેતા હતા, તેવામાં દ્વારપાળે આવી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામી ! કોઈ બે પુરૂષ દ્વારે આવીને ઊભા છે અને તેઓ આપને નમરકાર કરવાને ઇચ્છે છે. જરા ભ્રકુટિના ઈસારાથી ચક્રીની આજ્ઞા મેળવી દ્વારપાળે તે બન્ને પુરૂષોને સભામાં પ્રવેશ કરાવ્યું. તેમાંથી એક પુરૂષે કહ્યું, “શ્રી અજિતનાથ ભગવાન નગરની બહાર પધાર્યા છે.” બીજે કહ્યું, “હે સ્વામી! જય પામે. તમારા પુત્રોએ ખેંચેલે ગંગાનદીને પ્રવાહ અષ્ટાપદગિરિની પૂરતી ખાઈને પૂરીને હવે પૃથ્વીને ડૂબાડે છે. તેનાં પ્રસરતાં પૂરથી પડખેના નિવાસીજનની ભૂમિ સહ્યાગિરિના સમુદ્રસુધી કીપની પેઠે થઈ ગઈ છે. એ ગંગાનું પૂર પ્રલયકાળમાં સમુદ્રની જેમ વૃદ્ધિ પામીને આ સર્વ ભારતવર્ષને દ્વીપના જેવો કરી દેશે એવું હું ધારું છું. તેથી હે વિભુ ! તેમાં ડૂબી જતા એવા અમારી રક્ષા કરે. હે નાથ ! નહીં તે અનાથની જેમ અમે ક્ષય પામી જશું.” પ્રભુનું આગમન, પુત્રને નાશ અને દેશના ઉપદ્રવની વાત સમકાળે સાંભળવાથી શિથિળ થઈ ગયેલા ચક્રવર્તીને ઇંદ્રે કહ્યું, “હે રાજા ! હવે શું તર્ક વિતર્ક કરે છો ? પુત્રશોક છેડી છે, અને તે શેકના વૈદ્યરૂપ પ્રભુને ભજે, પ્રભુના પ્રણામથી થનારા પુણ્યલાભને પુત્રીશેકને માટે નિષ્ફળ કરો નહીં. ગંગાના પ્રવાહનો રોધ કરવાને જન્દુના પુત્ર ભગીરથને આજ્ઞા કરે; તે નાગકુળને ઉપદ્રવ કર્યાસંબંધી પિતાના પિતાને દેષ ટાળી શકશે.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી સગર રાજાએ કિંચિત અથુપાત કરતાં ભગીરથને બોલાવી પોતાના ઉત્સગ ઉપર બેસાર્યો. તેનું મસ્તક સુધી, મુખચુંબન કરી રાજાએ કહ્યું, “વત્સ ! જે આપણે ભારતવંશ ઉપર આ કેવું કષ્ટ આવી પડ્યું ? દાવાનળથી દગ્ધ થયેલાં અરણ્યમાં એક અંકુરની જેમ તું જ એક મોટી ઉન્નતિવાળી કુળસંતતિમાં અવશિષ્ટ રહે છેમાટે હે પુત્ર ! આ ગંગાના પ્રવાહમાં ડૂબતા લેકની રક્ષાને માટે ત્યાં જઈ જવલનપ્રભ નાળંદ્રને સેવાવડે પ્રસન્ન કરી તે ગંગાના પ્રવાહને દંડરલવડે પાછે સમુદ્રમાં લઈ જા.” પિતામહની આવી આજ્ઞાથી ભગીરથ કુમાર તત્કાળ મોટા સૈન્યને લઈને રજવડે સૂર્યને ઢાંકતે અને પૃથ્વીને ભ પમાડતે ત્યાંથી ચાલ્ય.
સગર રાજા ઈંદ્રની સાથે અંતઃપુરસહિત ફરીવાર શોક ન થાય તેવા હેતુથી આદરવડે પ્રભુને વાંદવા આવ્યા અને સમવસરણમાં પ્રવેશ કરી મહાજ્ઞાનધારી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ નમીને સ્તુતિ કરવા લાગ્યા.
For Private and Personal Use Only