________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લે. આવી બંને સૈન્યના સુભેટોને કહેવા લાગ્યા કે “અરે સુભટો ! અમે જઈને તમારા સ્વામીને સમજાવીએ, ત્યાં સુધી જે કઈ યુદ્ધ કરે તેને શ્રીયુગાદિપ્રભુની આણ છે.” પ્રભુની આણ થતાં સર્વ દ્ધાઓ જાણે ચિત્રલિખિત હોય, તેમ ઉભા થઈ રહ્યા. પછી દેવતાઓ ભરતચક્રીની પાસે આવ્યા. અને “
પખંડ ભારતના અધિપતિ અને ચક્રવર્તીઓમાં શિરોમણિ એવા હે ભરતરાજા ! તમારો યે થાઓ આવી આશીષ્ય આપી દેવતાઓ બોલ્યા કે “હે રાજેંદ્ર ! તમે પખંડ પૃથ્વીનો જય કર્યો, તેમાં કોઈ દેવતાઓમાં પણ તમારી સામે થયેલ નથી તો તમે બંને કષભસ્વામીના પુત્ર થઈ, પિતાને હાથે પિતાના હાથનો વધ કરવાનો કેમ આરંભ કરો છો ? તમારા પિતાએ આ સૃષ્ટિ નિર્માણ કરી છે અને તેમના પુત્ર થઈને તમે તેને સંહાર કરી છે તે તમને ઘટે છે ? તમારો ના ભાઈ બાહુબલિ તમારા આવવાથી આવ્યું છે અને તમારા જવાથી ચાલ્યા જશે. હંમેશાં કારણથી જ કાર્ય થાય છે. માટે હે ક્ષિતિપતિ ! જગતને સંહાર કરનારા રણમાંથી તમે વિરામ પામે. તમારા જેવા મહાશયનો ઉદય જગતને હર્ષ માટે છે. આ પ્રમાણે કહીને દેવતાઓ વિરામ પામ્યા એટલે ભરતચક્રી બોલ્યા “હે દેવતાઓ! રણનું કારણ જાણીને તમે આમ બોલે છે કે જાણ્યાવગર બોલે છે ? તમે અમારા પિતાના ભક્ત છે ને અમે તેમના પુત્રો છીએ તેથી ઘટિત અઘટિત વિચારીને જે યથાર્થ હોય તે અમને ફરમાવે. હું બલવાન છું' એવા ગર્વથી, લેભથી કે માત્સર્યથી રણની ઈચ્છા કરતો નથી, પણ શસ્ત્રાગારમાં ચક્ર પ્રવેશ કરતું નથી તેથી મેં આ આરંભ કર્યો છે. સાઠ હજાર વર્ષ સુધી દિગ્વિજય કરીને હું ઘેર આવ્યું તે વખતે કોઈ મારા બંધુઓ મને મળવા આવ્યા ન હતા, તેથી મેં માણસે મોકલી તેમને બોલાવ્યા. તેમાંથી મારા અઠાણુ બંધુઓ તે કાંઈક વિચારીને પિતાના માર્ગને અનુસર્યા, માત્ર આ બાહુબલિ એકજ મારે વિષે દુર્વિનીત થયે, પણ પ્રથમ તો વિનયથી પિતાની જેમ મારી આરાધના કરતો હતો, પણ દૈવગે અત્યારે તે મારી આજ્ઞાપણ માનતો નથી. એક તરફ એ મારો લઘુભ્રાતા મારે અંશ હોય તેવો છે અને બીજી તરફ ચક્રર પોતાના સ્થાનમાં પેસતું નથી, માટે એ મારો ભાઈ મનસ્વી છે, તે છતાં પણ એકવાર મારી પાસે આવે અને પછી તે સત્વર મારા હાથી, ઘોડા, રથ અને દેશ ભલે ગ્રહણ કરે. હે દેવતાઓ ! હું આવા સંકટમાં પડછું માટે તમે નીતિરૂપ નેત્રથી વિચારીને મને
૧ ચિત્રમાં આળખેલા.
For Private and Personal Use Only