________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
હવે એક વખતે નાગકેતુને જિનેશ્વર પ્રભુની પૂજા કરતાં પુષ્પની અંદર રહેલો સર્પ ડસ્યો, છતાં પણ વ્યગ્ર ન થતાં શુભ ભાવના ઉપર ચડ્યો. ભાવના ભાવતાં તેને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી શાસનદેવતાએ આપેલા મુનિવેષને ધારણ કરી તેણે ઘણો કાલ વિહાર કર્યો. એવી રીતે નાગકેતુની કથા સાંભળીને બીજાઓએ પણ અક્રમ તપમાં યત્ન કરવો. ઇતિ નાગકેતુ કથા.
હવે આ કલ્પસૂત્રમાં ત્રણ વિષય કહેવાના છે તે નીચે પ્રમાણે –
“પુરિમ-પરિમાળ ળો, મંચનું વદ્ધમાળતિત્યમ્મિ / ફ્હ્ન પરિવહિમા બિળ-બળ-રાઘેરાવતી ચરિત્ત” શા “શ્રી ઋષભદેવ અને શ્રીમહાવીરસ્વામીના સાધુઓનો એ આચાર છે કે - વરસાદ થાઓ અથવા ન થાઓ, પણ પર્યુષણ અવશ્ય કરવા, અને પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વાંચવું. વળી શ્રીવર્ધમાન સ્વામીના તીર્થમાં કલ્પસૂત્ર વાંચવું એ મંગલિકનું કારણ છે, કારણ કે આ કલ્પસૂત્રમાં જિનેશ્વરોનાં ચરિત્રો, ગણધર વિગેરેની સ્થવિરાવલી, અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર કહેલા છે.
તેમાં પ્રથમ અધિકારમાં જિનેશ્વરોના ચરિત્રને વિષે આસન્ન ઉપકારી હોવાથી પહેલાં શ્રીમહાવીરસ્વામીનું ચરિત્ર કહેતા છતાં ભદ્રબાહુસ્વામીજી મંગલને માટે પંચ પરમેષ્ઠી નમસ્કાર ભણે છે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[] [ પ
પ્રથમ વ્યાખ્યાનમ
૨૩