________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ).
અમૃતસાગર,
(તરંગ
ગ્રન્થારભ. તરંગ પહેલો.
પ્રથમ તરગ પ્રબંધમાં, વિવિધ વિષય વ્યાખ્યાન;
ચતુદસ વ્યાધિ પ્રકાર વળી, વગ વિચાર નિદાન. સામ્પત કાળમાં સંસ્કૃત વિદ્યાના પ્રચારનો અભાવ હોવાથી શિવગિરામાં રચાયેલા અપૂર્વ પૂર્વ ગ્રન્થનો રહસ્ય સમજ અતિ કઠિણ થઈ પડે છે અને તેથી જ પ્રત્યેક વિધા સંબંધીની બાબતેથી આધુનિક આર્યપ્રજા અજાણ છે, તેમ આપણી આયુર્વેદ વિધા પણ એજ કારણના આવિર્ભાવથી આવર્તમાંથી ન્યૂન થઇ છે એમાં જરા સંશય નથી.
આધુનિક સમયના અર્ધદગ્ધ જો એમ સમજે છે કે-યુરેપખંડી જન જેટલી વેવ વિધા જાણે છે, તથા નસ્તરધારા શરીરના અમુક ભાગને ચીરી કાપી પુનઃ તેને સાંધી શકે છે, તે પ્રમાણે દેશીવૈધે શસ્ત્રક્રિયા જાણી શકતા નથી, તેમ તે શસ્ત્રક્રિયા ઇગ્રેજ લેકેએજ શોધી કાઢેલ છેપરંતુ એ તેમનું સમજવું કેવળ ભૂલ ભરેલું છે, કેમકે યુરોપખંડ વાસિઓ આર્યવિધાના પ્રતાપથી; અથાત્ ચરક, સુશ્રુત, વામ્ભટ અને ભાવ પ્રકાશાદિ આર્શ પ્રણીત ગ્રથોદ્ધાર ઉત્તમ પ્રકારે શસ્ત્રક્રિયાદિ વૈવિધા સંપાદન કરી. ત્યાર પછી તેને પોતાની બુદ્ધિ તથા અનુભવ વડે પૂર્ણ પણે ખિલવવા પરિશ્રમ લીધો અને ને સિદ્ધાનુભવ કરી તેનો જગતમાં પ્રચાર કર્યો, પણ પ્રથમ આપણા આર્યોનીજ તે વિવા છેપરંતુ આ આળસુ બની પોતાની મહત્તા પિતાને જ હાથે ગુમાવી પરને સમૃદ્ધિ અને વિદ્યાવંત બનાવ્યા છે, તેનું કારણ એ જ કે પૂર્વના અપૂર્વ ગ્રો કટિણ સંસ્કૃત ભાષામાં હોવાથી હાલના અસંસ્કારી વૈધે તેના રહસ્યને સમજવા શી રીતે શક્તિ ધરાવી શકે? તેથી દિન પ્રતિદિન આયુર્વેદ વિદ્યાલય થતી ચાલી અને પૂર્વજોએ ભાંગ પી ગપ્પાં માર્યા છે.” એમ તેઓ પૂર્વ કૃતીઓને સમજવા લાગ્યા. તે જોઈ કેટલાક જગતસિદ્ધ-માનનિય વૈદ્યક ગ્રોનું મથન કરી પ્રાકૃત ભાષામાં આ “અમૃતસાગર નામ ગ્રન્થ રચતાં પહેલાં હું (જયપુરાધિશ સવાઈ પ્રતાપસિંહ) શ્રી ધવંતરી પ્રભુને તથા પૂર્વચાને પ્રેમ પુરસર પ્રણામ કરી ગ્રંથ રચું છું અને પ્રત્યેક રોગ ઓળખવાના પાંચ પ્રકાર અર્થાત નિદાન, પૂર્વસ્વરૂપ, રૂ૫, ઉપશય અને સંપ્રાપ્તિ એ પાંચ પ્રકાર વડે શું રોગ છે? શાથી ઉન ત્પન્ન થયે? કયારે મટશે ? સાધ્ય છે કે અસાધ્ય? વગેરે વગેરે બાબતે તથા કર્મવિપાક અને ચિકિત્સા સાથે પથ્યાપથ્યાદિકનું ટુંકામાં સ્પષ્ટ વિવેચન કરવા ગ્રન્થમાં પ્રવેશ કરું છું.
વૈદ્ય કોને કહે? જે ગુરૂની સમીપ વિધાભ્યાસ કરીને વારંવાર વિચારી ક્રિયામાં કુશળ થઈ વ્યાધિને મટાડવાના ઉપાય કરે છે તેજ વૈદ્ય કહેવાય છે; પણ જેણે ગુરૂની સમક્ષ સંપૂર્ણ વૈવવિધા તથા સંસ્કૃત ભાષાનું પૂર્ણ અધ્યન કર્યું નથી અને અર્ધદગ્ધ જ્ઞાન મેળવી વૈધશાસ્ત્રીનું પદ ધારણ કરેલ છે તે તે વૈધ નથી; પરનું ચેર છે. તથા જેણે ગુરુની પાસેથી એકજ વૈધકને ગ્રન્થ કિંવા સંસકૃત વિદ્યા વિના એકલું વૈધકજ શિખેલ છે તેથી વૈવપદને ખ્ય નથી:
For Private And Personal Use Only