________________
વ્યાખ્યાન ૨૫ પૂર્વેની બહાર કશું રહેતું નથી ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં પૂર્વોની રચના કરી. પૂર્વોની અંદર એવી કોઈ પણ જગતની વસ્તુ નથી કે જેનું નિરૂપણ ન હોય. એવી સ્થિતિ હોવાથી ચૌદ પૂર્વને જાણનારાની દેશના ને કેવળજ્ઞાન પામેલાની દેશના સરખી ગણાય. પ્રત્યક્ષ કેવળજ્ઞાન થયેલું હોય તે પદાર્થો દેખે અને શ્રુતજ્ઞાનથી પક્ષ દેખે તેમાં ફરક નથી. ત્યાંના ફટાને અહીંથી કાચથી દેખે, ત્યાં બજારને દેખે, તેમાં કોઈ પણ જાતનો ફરક નથી. કેવલીઓએ જે પદાર્થો દેખ્યા તે જ પદાર્થો કહ્યા. કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી અભિલાય જેવા જાણે તેવા શ્રુતકેવળી જાણે. અનભિલાષ્ટ્ર-જે પદાર્થ કહેવાના નહિ, જે પદાર્થ કહી ન શકાય તે અનભિલાય. તેને વાચક શબ્દ નથી. આટલું બધું પૂર્વમાં છે તેથી જ સમગ્ર પૂર્વને જાણનાર કેવળીની જેડમાં આવી શકે.
આચારાંગ એ તે શાસનની પ્રવૃત્તિની જહ
ચૌદ પૂર્વે રચાં છતાં પહેલાં ગોઠવવાને લાયક પૂર્વોને ગણ્યાં નહિ. રચના પૂર્વની કરી પણ ગોઠવણ નહિ. ગોઠવણમાં પહેલું આચારાંગ ગોઠવ્યું.આચારાંગ એ જ આચાર્યને આધાર,ગણિસ્થાન તરીકે. આચારાંગને વંચાવ્યા સિવાય બીજું સૂત્ર વંચાવે તે પ્રાયશ્ચિત્ત. શાસનની પ્રવૃત્તિની જડ જે કેઈએ પણ રાખેલી હોય તે તે આચારાંગે. જૈન શાસનને હિસાબે શુદ્ધ નો છે. શુદ્ધ એટલે નિશ્ચય નયનું નામ લઈને એવું કહેવાવાળા છે કે આત્માને જાણ્યો