________________ ભવનાં દુખિયારાં 15 વનના વાઘની સામે ઘૂઘવાટા લેનારને આ કામ ગમે ? એણે નગરદ્ધો ન બનાય તે વનોદ્ધા બનવાનું પસંદ કર્યું. સરખે સરખા જુવાનીઆઓને લઈને એણે ગંગાને પેલે તીર પિતાની પલ્લી બાંધી. ચોરી, ડાક ને લૂંટ કરી એણે પિતાનું નાનું શું સામ્રાજ્ય જમાવ્યું. આ પછી એક દહાડો અચાનક શકોમાં નવો પ્રકાશ આવ્યો. શદ્ર એ પણ માનવ ! માનવતાનો એ પૂરો અધિકારી ! શાસ્ત્ર એ ભણી શકે ! પવિત્ર એ થઈ શકે ! ક્રિયાકાંડ એ કરી શકે ! મોક્ષમાર્ગ એ મેળવી શકે ! ઊંચાં કૃત્ય કરે તે ઊચ્ચ ! નીચ કૃત્ય કરે તે નીચ!. પણ વર્ષોથી અંધકારમાં રહેલ શો સર્વ પ્રથમ આ પ્રકાશ ન ઝીલી શક્યા. એમણે પોતે જ પ્રકાશને આવત ખાળવા પોતાનાં કમાડ ભીડયા એ કમાડ ભીડનારાઓમાં મુખ્ય આગેવાન આ રોહિણીઆનો દાદો હતો! એણે છડેચોક કહ્યું કે શોનો સમૂલનાશ કરવા આ કાવતરું યોજાયું છે. મેં ધર્માચાર્ય ને ધર્મગુરુઓને ત્યાં જઈ જઈને એમની લાંબી દાઢીઓને સાષ્ટાંગ દંડવત કરીને પૂછયું છે, કે બાપજી, કયા ભવના પાપે અમે અસ્પૃશ્ય ! કયા ઘેર કૃત્યના કારણે અમે, કર્મધર્મને અનધિકારી! અને તેઓએ પિતાની રૂપેરી દાઢી પંપાળતા પંપાળતા નિરાંતે મને કહ્યું છે કે શકૂલમાં જન્મ એ જ તમારું પાપ ! મેં પૂછયું એ પાપ ઘોવાને કઈ માર્ગ ? તેમણે કહ્યું : કેઈ માર્ગ નથી? ઊંચવર્ણની સેવા કરતાં આ ભવપૂરે કરો ! આવતો ભવ સારે આવે એની વાંછના કરે!એટલે હવે તમે કોઈ રખે આ વાતમાં ફસાતા. આપણે અને એ જૂદા! બે વચ્ચે જન્મનાં વેર ! એ ભેદને, એ વેરને જમીનદોસ્ત કરવા એમને લૂટો, મારો ! એક દહાડે આપણે આપણું રાજ્ય જમાવી, કોટકગરા ખડા કરી આવું જ કરીશું. રોહિણીઆના દાદાની આ વાત કેટલાકને વધુ પડતી લાગતી. નાના મોંએ મેટી વાત જેવી ભાસતી; છતાં એનું બાહુબળ, એની