________________ સ્વર્ગલોકમાં 257 હવાનાં આંદોલનથી મૂળ સુધી ડોલતા કરંબક પુષ્પના મૂળની જેમ ધ્રુજતી કે વિશાળ લેચના અંગભંગના બહાને પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પિતાના વક્ષસ્થળને ધ્રુજાવતી હતી. અને કોઈ સરી જતા સુવર્ણતંતુથી ભરેલા ઉત્તરીય વસ્ત્રને વિશેષ દઢ કરવા જતાં પિતાના નિતંબ પ્રદેશને ખુલ્લો કરી દેતી હતી. આટઆટલાં રૂપનૃત્ય સાથે મૃદંગને વીણાના ઝણઝણાટ ! સેજ પર પાસે બેઠેલી સ્ત્રી પણ જાણે આ પૃથ્વીનું માનવી નહોતું. એનાં વિશાળ નયને, ગાઢ કેશકલાપ, કમળદંડ સમા બાહુઓ અને ખુલતી કળી જેવા બે બિઓધર માનવીને મેહની નિદ્રા આપે એમ હતું. એને હસ્તમાં રક્તકમળ હતું, વાળની લટેમાં મોગરાની કળીઓ ગૂંથી હતી. કર્ણના અંતિમ ભાગ પર શિરીષ પુષ્પની શોભા હતી. વક્ષસ્થળ પર મોતીસરના હાર શ્વાસ લેતા પડ્યા હતા. મણિલકના હેમર્થંભ પર પેટાવેલા રત્નદીપકે આ નવયૌવનાની દેહલતા પર આછું તેજ ઢળતા હતા. સુખશય્યામાં સૂતેલો પુરુષ એકવાર સુખદ સ્વપ્નમાં સરી ગયો. થોડીવારે એ સ્વપ્ન તૂટતાં એનાં ને ફરીથી ખુલ્યાં. એણે વિસ્મચપૂર્વક સૂતાં સૂતાં જ પ્રશ્ન કર્યો “દેવીઓ, તમે કોણ છો? હું અત્યારે ક્યાં છું ને મને અપરિચિત એવું આ બધું શું છે?” પાસે બેઠેલી નવયૌવના સુંદરીએ નયનનર્તન કરતાં કહ્યું આ સ્વર્ગભૂમિ છે. અને એ ભૂમિ પરનું આ દેવવિમાન છે. તમે પૃથ્વીલોક પરથી અત્રે આવ્યા છો. ઈન્દ્રધનુષ્યનાં અહીં તેરસે છે, અને લીલમની પાળે બાંધેલા જળકુંડમાં રતિશ્રમ નિવારવા દેવાંગનાએ સ્નાન કરે છે. આ આસોપાલવ ને મંદાર અહીંનાં વૃક્ષે છે, ને