Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 306
________________ જીવનશુદ્ધિ 283 તેણે માફી માગી. આવાં વિનયવિવેકથી જંગલવાસી કેયૂર અજાણ્યો હતો. એને એની લાલઘૂમ આંખોના ખૂણા ઠરડાયા, એણે ગળગળે અવાજે કહ્યું મહારાજ રહિણેય, હજાર મગધરાજે અમને તમારી વફાદારીમાંથી આ જન્મમાં તો ચળાવી નહિ શકે. સેવકોનાં માથાં માગે ત્યારે તૈયાર છે. પછી આવી વાત શા માટે?” કેયૂર, તું ન સમ ! અરે, તારા જેવા વીરેને કેવળ કુળના કારણે દૂર હડસેલાયેલા જોઈને જ મને સામ્રાજ્ય હાથ કરવાની લે લાગી હતી. પણ હવે તો એ સામ્રાજ્ય નાનું લાગે છે. હું જ્ઞાતપુત્રનો શિષ્ય બન્યો છું.” અને રોહિણેયે પોતાની આપવીતી કેયૂરને કહી સંભળાવી. શરીરબળને મહારથી કેયૂર આ બધી મૂંઝવણમાં કંઈ ન સમજી શક્યો. એણે રોહિણેયની આજ્ઞાનુસાર વૈભાર પર્વતમાં છુપાવેલી તમામ દલત બતાવવા માંડી. ધનદેલતની કંઈ કમીના નહોતી. શટનાં શટ ભરાવા લાગ્યાં. પ્રજા આનંદમાં આવી ગઈ, એ તો જ્ઞાતપુત્રના પગલે શાં શાં નિધિ પ્રગટે, એના ગુણગાન ગાવા લાગી. ધન અને ધર્મનાં જાણે રાજગૃહીમાં પૂર આવ્યાં! ઉદાર રાજવીએ જેનું જે હતું તેને તે પહોંચાડ્યું. મહાન રોહિણેય મુનિ બન્યો. રાજગૃહીએ એ પ્રસંગને છાજે તેવો ઉત્સવ ર. જ્ઞાતપુત્રના પગલે નગરી ધન્ય બની.

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344