________________ જીવનશુદ્ધિ 283 તેણે માફી માગી. આવાં વિનયવિવેકથી જંગલવાસી કેયૂર અજાણ્યો હતો. એને એની લાલઘૂમ આંખોના ખૂણા ઠરડાયા, એણે ગળગળે અવાજે કહ્યું મહારાજ રહિણેય, હજાર મગધરાજે અમને તમારી વફાદારીમાંથી આ જન્મમાં તો ચળાવી નહિ શકે. સેવકોનાં માથાં માગે ત્યારે તૈયાર છે. પછી આવી વાત શા માટે?” કેયૂર, તું ન સમ ! અરે, તારા જેવા વીરેને કેવળ કુળના કારણે દૂર હડસેલાયેલા જોઈને જ મને સામ્રાજ્ય હાથ કરવાની લે લાગી હતી. પણ હવે તો એ સામ્રાજ્ય નાનું લાગે છે. હું જ્ઞાતપુત્રનો શિષ્ય બન્યો છું.” અને રોહિણેયે પોતાની આપવીતી કેયૂરને કહી સંભળાવી. શરીરબળને મહારથી કેયૂર આ બધી મૂંઝવણમાં કંઈ ન સમજી શક્યો. એણે રોહિણેયની આજ્ઞાનુસાર વૈભાર પર્વતમાં છુપાવેલી તમામ દલત બતાવવા માંડી. ધનદેલતની કંઈ કમીના નહોતી. શટનાં શટ ભરાવા લાગ્યાં. પ્રજા આનંદમાં આવી ગઈ, એ તો જ્ઞાતપુત્રના પગલે શાં શાં નિધિ પ્રગટે, એના ગુણગાન ગાવા લાગી. ધન અને ધર્મનાં જાણે રાજગૃહીમાં પૂર આવ્યાં! ઉદાર રાજવીએ જેનું જે હતું તેને તે પહોંચાડ્યું. મહાન રોહિણેય મુનિ બન્યો. રાજગૃહીએ એ પ્રસંગને છાજે તેવો ઉત્સવ ર. જ્ઞાતપુત્રના પગલે નગરી ધન્ય બની.