Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 321
________________ કાળચક [26 ]. જાજ્વલ્યમાન જીવનની મહત્તા એમાં જ છે, કે એ ઝળહળાટમાં જ પરિનિર્વાણ પામે ! સુદીર્ઘ આયુષ્ય એ જીવનને આશીર્વાદ નથી, પણ ઘણીવાર શાપ સમાન બને છે. ટૂંકા પણ તેજસ્વી, અલ્પ પણ ભાવનાભર્યા જીવનની જ મહત્તા છે. પુખ્ત યુવાવસ્થામાં પ્રવેશેલા મહામંત્રી અભય આ વાત સમજ્યા. રૂપવતી રાણીઓ એ વાતને પામી. મોડેમોડે પણ અતિ મોડું ન થાય તે પહેલાં નગરશ્રેષ્ટિ મેતારજ પણ એ સમજ્યા. ન સમજી શક્યા કેવલ મગધરાજ. આ ઉદ્યાન ઉજજડ થઈ ગયો તોય એમણે હૂંઠા બનીને પણ વળગી રહેવાનું પસંદ કર્યું. હવે ગડશી એ આંખો નહતી, ને કેસરીસમું એ હાડ નહોતું. વજ જેવા પાય ને ભોગળ જેવા બાહુ કમજોર બન્યા હતા. બધી ય શક્તિઓ હણાતી ચાલી હતી, પણ સર્વશક્તિઓના હાસમાં પ્રબલ બનનાર એમની ભેગશક્તિ ભડકે બળતી હતી. બધી ય રીતે મહાન મગધેશ્વરને આ ભોગલાલસા અજાણું રીતે પીડી રહી હતી. જ્ઞાતપુત્ર મહાવીરના પરમ પૂજારી હોવાનો દાવો કરનાર રાજવી પિતાની આ નિર્બળતા માટે ઘણીવાર એકાંતે રડી પડેલા. જ્ઞાતપુત્રે એ વખતે કહેલું

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344