Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 323
________________ 300 મહર્ષિ મેતારજ વાત વધતી ચાલી. એક વેળાના ચતુરંગ સેનાના મહારથીની અંતઃપુરમાં પણ હાંસી થવા માંડી. આર્યાવર્તન અજોડ રાજવી આંતરયુદ્ધમાં એક પછી એક પરાજય પામતે ચાલ્યો. આ પરાજ્યોએ એક શંકા જન્માવીઃ મગધરાજને લાગ્યું કે રાણી ચેલ્લણ દુશ્ચરિત્રવાળી છે. એણે અંતઃપુરને મારા વિરુદ્ધ ઉશ્કેરી મૂક્યું છે. અને આ રીતે અંતઃપુરને કેલાહલ ઉગ્ર બન્યો. પુત્ર અને પિતા વચ્ચે સેતુરૂપ બનીને જીવવાની અભિલાષાવાળી રાણ ચેલ્લણાને આ વાતથી અત્યંત આઘાત થયો. એનું ઔદાસિન્ય વધતું ચાલ્યું. એવામાં જ્ઞાતપુત્ર મહાવીરના દર્શનાર્થે ગયેલા મગધરાજે સરળતાથી ભગવાનને એ શંકા પૂછી લીધી. જ્ઞાતપુત્રે સ્પષ્ટતાથી કહ્યું “રાણી ચેલ્લણ સતીઓમાં પરમ છે, લેશમાત્ર સંદેહ ધરીશ મા !" વધુ ને વધુ માનખંડિત થતી ચેલ્લણ આ પછી રાજાએ બનાવી આપેલ એકસ્તભિયા પ્રાસાદમાં ચાલી ગઈ. સંસારની અસારતા એને દહી રહી હતી. પણ પતિની ઈચ્છા વગર દીક્ષિત કેમ થઈ શકાય ? રજા વગર દીક્ષા કેણ આપે ! મગધનું આ બેસૂરું વાદ્ય વધુ ને વધુ બેસૂરું બનતું ગયું. કણિકે સર્વ તૈયારીઓ કરી લીધી હતી. રાજ્યના સ્થંભને પિતાના કરી લીધા હતા. આ બનાવ વિચિત્ર પ્રકારના વેશ ધારણ કરી પ્રજામાં પણ ભમી રહ્યા હતા. ઊઠતી બાદશાહીની આછી આંધિ બધે પ્રવર્તતી હતી. આ આંધિની વચ્ચે જીવતા મગધરાજે પિતાને ધર્મદીપક સદા જલતો રાખ્યો હતો. ઘણીવાર દિલ પણ થઈ આવતું, છતાં મુનિજીવનનાં કષ્ટ નિહાળી સ્થંભી જતા. તેઓએ ધીરે ધીરે જિનપૂજામાં પિતાનું મન પરોવવા માંડ્યું.

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344