________________ સેનીને શે દોષ? [ 17 ]. રાજગૃહિને આંગણે આજે ધખધખતી ગ્રીષ્મ આવી હતી. સૂરજ સોળે કળાએ નિર્દય થઈ તપતો હતો, આશ્રઘટાઓમાં છુપાઈને કાયલ ખીલી ઊઠી હતી. વાવટોળા આકાશને ભરી દેતા હતા, ને વાયુ ગરમાગરમ થઈને, પૃથ્વીને આકુળવ્યાકુળ બનાવી રહ્યો હતો. ઘણે વર્ષે મેતારજ મુનિ રાજગૃહિને આંગણે આવતા હતા, પણ મુનિ એટલે વનવગડાના રહેનાર, મધ્યાહે એકાદ વખત પાસેના ગામ–નગરમાં ગૌચરી માટે આવનાર–જનાર ! રાજગૃહિના પાસેના ઉદ્યાનમાં ઉતરેલા મેતારજ મુનિ માસના ઉપવાસ પછી ભિક્ષા માટે આજે રાજગૃહિમાં પધારતા હતા. ગામલોક ભોજન પૂર્ણ કરી રહેવા આવ્યા હતા. એવે વખતે મેતારજ મુનિ ગૌચરી અર્થે રાજગૃહિના ઘરેઘર ફરવા લાગ્યા. ફૂલ ઉપર ભમરે બેસે, ફૂલને લેશમાત્ર ઈજા ન કરે; અને રસ ચૂસી વિદાય થાય, એવી રીતે ભિક્ષા લેવાને અનિધર્મ હતો ! રસ-વિરસમાં એમને કંઈ રસ ન હોય. મુનિરાજ ફરતા ફરતા એક સુવર્ણકારને બારણે જઈ ઊભા. સુવર્ણકાર મગધનો સુપ્રસિદ્ધ શિલ્પી હતું. રાજાજીને માની હતો. એના બનાવેલા સુવર્ણ જવ મહારાજા ત્રિકાળવંદના માટે