________________ 310 મહર્ષિ મેતારજ લીલા ચોરને પકડીને દિવસે વીર વિ સાર્થવાહના એકના એક પુત્રને હણી નાખ્યો ને તેના અલંકારે લૂંટી લીધા. સાર્થવાહે રાજદરબારમાં ફરિયાદ કરી. કુશળ રાજસેવકેએ. વિજય ચોરને પકડીને કારાગૃહમાં પૂર્યો. ભાગ્યયોગે થોડા દિવસ વીત્યા બાદ ધન્ય શેઠ પર કંઈ આપ આવ્યો, ને તેમને પણ રાજાએ વિજય ચારની સાથે એક જ હેડમાં બોધી કારાગૃહમાં પૂરવાનો હુકમ આપ્યો. અહીં ધન્ય સાથેવા માટે સારાં સારાં ખાધ આવતાં. વિજ્ય ચોરને સુ લૂખો રોટલે મળત. પિતાના પુત્રને આ હત્યારે છે, એમ કલ્પીને સાર્થવાહ એને કઈ ન આપતાં બધું પિતે જ ખાતે અથવા ફેકી દેતા. પણ ભોજન બાદ શૌચાદિ જવા માટે ધન્ય સાર્થવાહને ઈચ્છા થઈ. છતાં તે એકલે હાલી–ચાલી શકે તેમ નહોતો. તેમ કરવા જતાં તેને અત્યંત વેદના થતી. આખરે તેણે વિજય ચારને પિતાની અનુકૂળતા માટે સાથે સાથે ચાલવા વગેરે માટે અડધું ખાવાનું આપવાનું વચન આપીને રાજી કર્યો. પોતાના પ્રાણપ્રિય પુત્રના ઘાતકને પિતાને જ પતિ રોજ ખાવા આપે એ વાત ધન્ય સાર્થવાહની પત્નીને ન રૂચી. ધન્ય સાર્થવાહ ટીને ઘેર આવ્યો ત્યારે પત્નીએ એ બાબત ફરિયાદ કરી કે હે નાથ, આપણું પુત્રના ઘાતક વિજય ચારને તમે ખવરાવતા તેથી મને ખોટું લાગ્યું છે.” શેઠે ખુલાસો કરતાં કહ્યું : “હે પ્રિયે, હું અને તે એક જ હેડમાં બંધાયેલા હોવાથી મેં જે તેને ખાવા ન આપ્યું હોત તો મારું શરીર ન સચવાત, કદાચ હું જીવતો ઘેર પણ ન આવત.” આ પ્રમાણે દૃષ્ટાંત આપીને જ્ઞાતપુત્રે કહેલું : વિજય ચોર *લાકડાના બે પાટીયાં જેમાં ગુનેગારને હાથ પગ નાખીને બાંધવામાં આવે છે.