________________ ગુરુ-શિષ્ય [ 29 ] વર્ષાનાં વાદળો ઘેરાં બન્યાં હતાં. કુદરતે લીલો સાળુ પહેરી નૃત્ય આરંળ્યું હતું. મત્તમયૂર રાજગૃહીની પાસે આવેલા ચૈત્ય પર બેસી અંતરીક્ષમાં ઊભેલા કોઈ પોતાના પ્રિયજનને આમંત્રી રહ્યા હતા. એ વેળા આ ચિત્યમાં ચાતુર્માસાર્થ રહેલા એક શિષ્ય ગુને પ્રશ્ન કર્યો “પ્રભુ, પેલા મહાતપાતીરને કઠે કોની સમાધિઓ છે.” હે શિષ્ય, માનવજીવનને સફળ કરનાર માનવીઓની છે. એક ધન્યજીવના મેરાણી વિરૂપાની છે, બીજી પરોપકારને ગુણ જાણનાર રાજગૃહીની શેઠાણીની ને ત્રીજી જેમણે ચતુર્થ પુરુષાર્થ સાધ્યા છે, એવા મહામુનિ મેતારાજની છે. એમની જીવનકથાઓ મગધપ્રસિદ્ધ છે.” “ગુરુદેવ! મહામુનિ મેતારજને મારનાર સુવર્ણકારને મગધરાજે કંઈપણ શિક્ષા કેમ ન કરી?” શિક્ષા ? શિક્ષા કરતાં ક્ષમાથી ગુનેગારને સાચો પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપની મહત્તાને તું પિછાણ નથી ? એને સાક્ષાત દષ્ટાંત સ્વરૂપ મહામુનિ રહિણેયને શું તું નથી જાણતા ?"