________________ 312 મહર્ષિ મેતારજ | વિજયારની જેમ આ દેહને ખૂબખૂબ પિળે, અને તો યે સહેજ ઓછું મળતાં કે દુબળ થઈ ગયો ! એવા દેહના મમત્વથી શું સયું ! આ દેહ મારે નથી. હું તો અનંત છું, અમર છું. મારે સ્વભાવ ચિદાનંદને છે. આ વેદના, આ દુ:ખ, આ સંતાપ મારાથી ક્યાંય દૂર છે. એ તે પૂર્વકર્મની જલતી ભઠ્ઠી છે. હમણાં જ બુઝાઈ જશે. આ તો અગ્નિપરીક્ષા છે. મને સિદ્ધોનું શરણ હેજે ! અરિહંતોની યાદ હજો ! खामेमि सव्वजीवे, सव्वे जीवाः खमन्तु मे સર્વ જીવો મને ક્ષમા આપે ! હું સર્વને ધામા આપું છું. વેદનાની જબરદસ્ત સીમા આવી રહી હતી. અને બીજી તરફ વિચારની પણ શ્રેણી ઉત્તમ હદે પહોંચી હતી. એકાએક મુનિરાજના દિલમાં ઝળહળાટ થયે. આખું જગત જાણે જોવાનું લાગ્યું. દેહની હાલત તો અકસ્થ હતી. આંખના બે ઓળા બહાર નીકળી પડ્યા હતા, ને હોઠ તૂટેલી સારંગીના તારની જેમ ધ્રુજતા હતા પણ એ નેત્રહીનતા જ એમને ત્રણ લોકને પ્રકાશ આપી રહી હતી. * સર્વોત્કૃષ્ટ જ્ઞાન એમને પ્રકાણ્યું. સાધકેની ભવોભવની પ્રાર્થનાનું અંતિમ મુનિરાજે વાતવાતમાં મેળવી લીધું. જેની મહામુનિ અભયને વાંચ્છા હતી, ગણધરશ્રેષ્ઠ ગૌતમ જે માટે જ્ઞાતપુત્રના પાદપમ સેવી રહ્યા હતા, એ મુનિ મેતારજ સ્વયં પામી ચુક્યા હતા. અર્થ-કામના પરમ ઉપાસકને મોક્ષ હાથવેંતમાં હતું. - એક અલૌકિક હાસ્યની રેખા એમના મુખ પણ તરવરી રહી, અને છ–શીર્ણ દેહ પૃથ્વી પર ઢળી પડ્યો.