________________ બંધનમુક્તિ 25 પણ મેતારજ હવે દઢ બન્યા હતા. કોઈ પણ વાત તેમને લોભાવી કે થોભાવી શકે તેમ નહોતી. વહેલી સવારે રાજગૃહી કામધંધે વળગે એ પહેલાં બધે સમાચાર પ્રસરી ગયા, કે મેતારજ સંસારત્યાગ કરી રહ્યા છે. જેણે જેણે આ સમાચાર સાંભળ્યા તે સ્તબ્ધ થઈ ગયા. | માયાને અંચળો ફગાવીને, મેતારજ ચાલ્યા ગયા. એ દિવસે જે દુઃખ, દઈ જમ્યાં, એ દિવસે દિવસે ઓછાં થતાં ચાલ્યાં. એમને કોઈ પાછું ન લાવી શક્યું. પાછા લાવનારા જ અડધે રહ્યા. મગધરાજને પણ એક દહાડો સંદેશો મળ્યો કે વખત વીત્યા પછી કરેલાં કામ અફળ જશે. પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લેવી સારી છે. અડધું અંતઃપુર ઉજજડ થયું, ખાસ ખાસ અનુચરે પણ ચાલ્યા ગયા, હજી ય વખત આવ્યો નહિ ! પણ મગધરાજનાં મેહનાં બંધને ઢીલાં ન થઈ શક્યાં. દેવોને ઈર્ષા આવે એવી સમૃદ્ધિ છોડીને નીકળેલા મેતારજ મુનિ ઘોર અરણ્યોમાં એકલા વિચરવા લાગ્યા. સ્મશાનમાં એ સૂઈ રહે, ને દિવસના દિવસો સુધી અન્ન ન આવેગે ! જ્ઞાનધ્યાન ને જપતપ એમના સાથી. શમ, દમ ને ક્ષમા ! આ ગુણોના તે તે આગાર બન્યા. એમનું અંતર બધા જીવોને સમભાવથી જોતું હતું, ને પ્રમાદરહિત વિચરતા તેઓ કેઈન અકલ્યાણમાં રહેતા નહોતા. તેઓ પ્રભુ મહાવીરે આપેલી અહિંસા ભાવનાને પરમ પ્રચાર કરતા. તેઓ કહેતા: सत्रे जीवा वि इच्छंति जीविडं न मरिआउं // બધા જીવો જીવવાને ઇચ્છે છે, કેઈ મરવાને ઈચ્છતું ઊી.