Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 316
________________ બંધનમુક્તિ 293 મેના એક લાંબી કિકિયારી સાથે બહાર નીકળી ને પાંખો ફફડાવતી ગેખ પર બેઠી. વિદાય લેતી મેનાને જેવા મેતારજે ભર ઊંધમાં સૂતેલી પ્રિયતમાને જગાડી. વિખરાયેલો લાંબો કેશકલાપ, સમ સ્ત કપોલ પ્રદેશને રંગી રહેલો સૌભાગ્ય તિલક ને ઝીણા ઉત્તરીયથી ઢંકાયેલો મનહર દેહ! આ રૂપ જોઈ એકવાર મેતારજના દિલની વૈરાગ્ય ભાવના ધ્રુજી ઊઠી, પણ બીજી પળે હદય સ્વસ્થ કરી તેમણે કહ્યું: “પ્રિયતમે! આ મેના જાય છે !" પ્રિય, જે જે! એવું ન કરતા. એ તે મને પ્રાણથી પણ પ્યારી છે.” પણ એ તે આ ચાલી !" મેતારજે પાસે જઈ મેનાને પકડવાની ચેષ્ટા કરી, પણ સ્વતંત્ર બનેલી મેના તે ભરૂરૂ...કરતી ઊડી ગઈ ને અંધકારમાં અદશ્ય થઈ ગઈ. મેના તો ગઈ...પ્રિયતમે! હવે શી રીતે જવાશે? અને તું મરીશ, તો મારે પણ મરવું જ રહ્યું” મેતારજે વ્યંગ કરતાં કહ્યું. હવે મરવા-કરવાની વાત જવા દો? મરેલાની પાછળ કંઈ કોઈ મરી જાય છે! પણ એ તે પ્રેમની વાત છે. મને આ મેના ઉપર અત્યંત પ્યાર હતો. ને પિંજરામાં પંખી પાળવાની મગધેશ્વરની મનાઈ છતાં ખાસ આજ્ઞાથી મેં એને પાળી હતી!” “બસ, મારું એજ કહેવું હતું. જનારાને જવા દઈસહુએ રહેલાથી આનંદ માનવો જોઈએ. જે, વિરૂપા ગઈ શેઠાણ ગયાં, માતંગે ન જાણે ક્યાં ગયો ને હું? કમને જવાનો વખત આવે તે પહેલાં મનપૂર્વક શા માટે ન ચાલ્યો જાઉં ! સુંદરીઓ, મહામાત્ય આ લોક પણ સાધ્યો ને પરલોક પણ! મેં શું કર્યું?” મેતારજ બોલતા બોલતા થોભ્યા.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344