Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 315
________________ 292 મહષિ મેતારજ તેઓ ઉચ્ચનીચના ભેદ દૂર કરવા મથતા હતા. નીચી ગણાતી કોમેમાં જ્ઞાન, સંસ્કાર વેરવા એ ઠેર ઠેર ફરતા; અને સહુની સામે વિરૂપાનું દૃષ્ટાન્ત રજૂ કરતા. એમના પ્રયત્નના પરિણામે કેટલાંય ચાંડાલ-કુલ અગ્રગણ્ય થયાં હતા, ને ગૃહસ્થ તથા સાધુજીવનની ચરમસીમાને પણ પહોંચ્યાં હતાં. અને આ છતાં ય, રંગરાગ ને એશઆરામની આ દુનિયા વચ્ચે એ જાગતા હતા. તક શોધતા હતા. વાસનાનો તાગ લેતા હતા. એકવાર મેતારજ અડધી રાતે જાગી ગયા. પ્રિયતમાને હાથ એમની છાતી ઉપર પડી ગયેલો. એમાં સ્વપ્ન લાધ્યું. જાણે સંસારસાગરમાં બધા ય તરી ગયા છે, વિરૂપા તે સાગરને સામે કાંઠે ખડી છે; ને સાદ પાડી રહી છે. બધાયની ગતિ પ્રગતિ કરી રહી છે, પણ ન જાણે મેતારજ સાગરમાં પડતાં જ ડૂબકા મારવા માંડ્યા, અને એકવાર તો તળિયું પણ માપી આવ્યા. કેટલી ગભરામણ ! કેટલી મુંઝવણ! ઝબકીને જાગીને જુએ છે, તે ન મળે સાગર કે ન મળે પાણી. કદલીદલ જેવો પ્રિયતમાને હાથ છાતી ઉપર પડ્યો છે ! એમણે ધીરેથી એ હાથને અળગો કર્યો; છતાં ય સુવર્ણપિંજરની મેના એ હાથનાં રત્નકંકણનાં રવથી જાગી ગઈ ને ચીંચી કરવા લાગી. મેતાજ ફરીથી ઊંધવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ ન ઊંઘી શક્યા. એ ઊભા થયા ને બહાર ઝરૂખામાં આવી ઊભા રહ્યા. રાત્રી નીરવ હતી. મેતારજનું મન તેફાને ચડ્યું. સામે પિંજરમાં મેના પાંખ ફડફડાવી રહી હતી. રાજમંદિરની આ મેના હતી. સુવર્ણ પિંજરમાં વસનારી હતી; છતાં એને ય અજંપ હતો ! મેતારજ ધીરેથી પાસે ગયા, પિંજર ઊઘાડી નાખ્યું. એમને ખબર હતી કે રાજકુંવરીને આ મેના પ્રાણસમ પ્રિય હતી.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344