Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 314
________________ બંધનમુક્તિ [25] દેવમિત્રની વાતે પ્રારંભમાં ઘણો સંતાપ જન્માવ્યો, પણ હવે એ વાત ધીરે ધીરે વિસારે પડતી હતી. થાકેલ, હારેલો મહાસાગર તરિયે ડૂબતે ડૂબતો ય જેમ મહાસાગરનાં અથાગ જળને વિધી ક્ષણ બે ક્ષણ સપાટી પર આવી જાય એમ નગરષ્ટિ મેતારજનું થતું. ક્ષણભરમાં વાસનાત્યાગને નિર્ણય કરતા ને ક્ષણવારમાં વાસનાના પૂરમાં તણાઈ જતા. કાળનું ચક્ર ફરે જતું હતું. મેતારજના દેહ પરથી હજી તેલઅત્તર ઓછાં થતાં નહોતાં, અને મદભરી રમણીઓના સનેહપાશ હજી તેવા ને તેવા હતા. આખાય રાજબાગ ઉજજડ થતે ચાલ્યો હતો. કેવળ એકાદ ખૂણે મેતારજ જેવું કંઈ નવરંગી ફૂલ શિશિરનાં ઝપાટાઓથી અળગું અસ્તિત્વ જાળવી રહ્યું હતું. રોજ રોજ નવી રસભરી રાતે ઉગતી અને નવું જોબન પ્રગટતું ! પણ ભલા, શું મેતાર્યને આ બધું હજીય પ્રિય હતું? આઠઆઠ જોબનભરી પ્રિયતમાઓ વચ્ચે શું વિરૂપાનું બલિદાન ને શેઠાણીનું વાત્સલ્ય–દુઃખ તે ભૂલી ગયા હતા? પિતાને જનક માતંગ શું તેમને યાદ પણ આવતે નહિ ? ના એવું નહોતું. મેતાર્યો તે મેતારજ –મોટા ચાંડાલનું બિરુદ ધાર્યું હતું, અને પ્રભુના ઉપદેશને અનુસરીને

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344