________________ પાણી પહેલાં પાળ 285. હતું. એ ય વીર, ધીર ને વિચક્ષણ હતો ? છતાં કેકવાર એની ઉતાવળે અનુમાન કરી લેવાની આદત પ્રજાને જૂના મહામાત્યની યાદ તાજી કરાવતી. કેકવાર વયોવૃદ્ધ મગધરાજ સામેની તેમની તે છડાઈની. લકે ટીકા કરતા પણ એ તો નગણ્ય બાબત હતી. ધનધાન્ય ને મણિકનકથી અભરે ભરેલી આ નગરીને કાળના દુર્નિવાર પ્રવાહીને જાણે ઘસારે જ નહોતો બેઠો, અને એવો. ઘસારો આઠ આઠ અપ્સરાઓ સાથે દેવવિમાન પ્રાસાદમાં ભોગ. ભોગવતા પ્રૌઢ મેતારજને પણ નહોતે પહોંચે. રેજ નવી રાત, નવા રાસ ને જાણે નવી જ રસિયણ! એક સુદીર્ઘ સુખદ સ્વપ્નમાં મેતારજ લુબ્ધ ગયા હતા. નગરશ્રેષ્ઠિનું પદ લાગ્યા પછી એમની મહત્તા વધી હતી. રાજગૃહીના ઓવારે ઊતરતા દૂરદૂરના. પ્રવાસીને મેં એ એમના જ રોમાંચક નામની રટણ ચાલતી: પણ એમનાં દર્શન દુર્લભ હતાં. પ્રવાસીઓ, સાગર સફરીઓને મોટા સાર્થવાહો એમના દર્શન માટે ઉત્સુક રહેતા, એમની મુલાકાત માટે પ્રયાસ સેવતાઃ પણ આઠ આઠ જીવની કિલ્લેબંધીઓ ભેદીને નગરશ્રેષ્ઠિ કદી બહાર ન નીકળી શકતા. કેવળ પરિચય પાડવાનો પ્રસંગ રાજસભામાં જવાને વખતે પડતો, પણ એમાં ય છેલ્લા વખતથી કંઈક વિશ્ન આવ્યું હતું. લોકે વાત કરતાં કે મહામાત્ય અભય સાથેની ઘનિષ્ઠ મિત્રતા હવે મહામાત્ય કણિક સાથે નથી રહી. કેટલાક આ વાતને તિરસ્કારી કાઢતા ને કહેતા કે હવે રાજગૃહમાં મગધરાજ ને રાણી ચેલ્લણ સિવાય રહ્યું છે પણ કોણ? કેટલાય કુમારે, કેટલીય રાણુઓએ દીક્ષા સ્વીકારી લીધી છે. હવે તો બધું નવું વાજું છે. અને ખરેખર, કહેનાર એ રીતે સાચો હતે. જૂનું કહી શકાય તેવું વયેવૃદ્ધ મગધરાજ સિવાય કોઈ નહોતું. મગધરાજને ય માથે પળિયાં આવ્યાં હતાં, ને કરવાનું કરી