Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 309
________________ 286 મહર્ષિ મેતારજ લેવાને વખત વળતો હતો, પણ અંતઃપુરની માયા, વનવાસનાં કષ્ટો ને સુધાતૃષાના પરિસહ તેઓ સહી શકે તેમ નહોતા. શસ્ત્રોના અનેક ઘા સામે મોંએ ઝીલનારી એમની પ્રચંડ કાયા લેશમાત્ર ટાઢ કે તડકે વેઠવા અશક્ત હતી. એમાં ય વૃદ્ધ મગધરાજને એક પ્રસંગે વધુ તપાવ્યા. એકવાર કૌમુદી-ઉત્સવમાં એક કિશોરબાળાને નિરખી. ઉગતા ચંદ્રની રેખા જેવી એ બાળા ફૂટડી હતી. વૃદ્ધ મહારાજની નસોમાં ફરીથી કામરે સંચાર કર્યો, પણ એ વેળાએ તે મહામાત્ય અભય મેજુદ હતા. સમર્થ અને વિચક્ષણપિતાની નબળાઈથી એ પૂરી રીતે વાકેફ હતા. એ નબળાઈ બીજું રૂપ ન લે એ માટે એમણે એ કિશોરીને મહારાજના અંતઃપુરની રાણી બનાવી. ભોગસમર્થ રાજવીના આ કૃત્ય સામે પ્રજાને કંઈ કહેવાનું નહોતું, પણ આ ઘટનાએ અંતઃપુરમાં એક જાતને વિસંવાદ જગાડ્યો. ભડભડિયા કણિકે સ્પષ્ટ રીતે વિરોધ કર્યો, પણ આ વિરોધ કે વિસંવાદ મહામાત્ય રૂપી સાગરમાં બુદ્બુદની જેમ અલેપ થઈ ગયે. તેઓએ કહ્યું કે એક માણસ પાસેથી બધી વાતની આશા રાખવી વ્યર્થ છે, કોઈની નબળી કડીને લાભ ન લેતાં એને સાંધવા–સુધારવા યત્ન કરવો ઘટે ! પણ આ તે ફિસૂફીની વાત હતી. એ વાતો મહામાત્યના જવા સાથે વરાળ થઈને ઊડી જતાં વાર ન લાગી, અને આટલેથી બાકી હતું કે પેલી કિશોરીએ પણ પોતાના ચાલુ જીવન કરતાં પ્રવર્તિની ચંદનાના સાધ્વીસંધમાં ભળી જવાનું વધુ પસંદ કર્યું. મગધરાજ પાસે એણે આજ્ઞા માગી. તેમણે પણ જાણે પોતે પ્રાયશ્ચિત્ત કરતા હોય તેમ પિતાની એક માત્ર સંગિનીને અનુમતિ આપી દીધી. એ સાથ્વી બની ગઈ આખા મગધના મહારાજ્યમાં મગધેશ્વર એકલા રહ્યા! રાણી ચેલ્લણું સતી સ્ત્રી હતી, પણ એનું ય હૈયું ખંડિત થયું હતું. દીક્ષિત

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344