________________ 288 મહર્ષિ મેતારજ શરીર પર કેવલ એક જ પારદર્શક આવરણ વીંટી જલકુંડની પાસે મેતારજની રાહમાં ઊભી હતી. સંસાર માંડ્યાને વર્ષો વીત્યાં હતાં, પણ દેહ હતા જાણે નવસુંદર નવોઢાના ! જલકુંડમાં સુવર્ણમસ્યો ક્રીડા કરી રહ્યાં હતાં, ને પદ્મિનીની સુંદરીઓ, મારે કઈ દેવમિત્ર આવ્યો છે. હું તેને મળીને ક્ષણવારમાં પાછો ફરું છું.” ભલે, પધારો!” સુંદરીઓને રસભર્યા આ કાર્યક્રમમાં અચાનક આવેલો વિલંબ ન રૂચ, પણ દેવમિત્રની વાત સાંભળી તેઓએ ક્યવાતા મને રજા આપી. ગ્રીષ્મના દિવસો હતા, ઊગતા પ્રભાતની મીઠી લહરેમાં ય ઉકળાટ હતો. સુખી જીવન જીવતા મેતારજને આવી વેળાએ બહાર નીકળવું દુ:સહ હતું. સુંદર શિબિકા તૈયાર કરવામાં આવી, અનેક દાસ સુગંધીજળીને છંટકાવ કરતા આગળ ચાલ્યા. કેટલાય વાતપત્ર ને ચામર ઢળતા સાથે ચાલવા લાગ્યા, છતાં ય નગરશ્રેષ્ઠિ મેતારજને સૂર્યકિરણ સંતાપી રહ્યાં હતાં. તેઓ નગરબહાર ચૈિત્યમાં પહોંચ્યા ત્યારે એક વૃક્ષ નીચે બેચાર શ્રમણે બેઠેલા જોવામાં આવ્યા. કયાં છે મારા દેવમિત્ર?” મેતારજે શિબિકામાં બેઠા બેઠા પ્રશ્ન કર્યો. આવો, નગોષ્ઠિ ! સંસારની માયા શું એવી ભૂલભૂલામણ છે, કે જોતજોતામાં જૂના સ્નેહીઓને વિસરી ગયા?” એક શ્રમણે. બેઠા બેઠા કહ્યું