________________ જીવનશુદ્ધિ 281 “કોણ કહે છે, કે ન થઈ શકે!” જ્ઞાતપુત્રે ચારે તરફ દૃષ્ટિ ફેરવતાં કહ્યું. એ દષ્ટિના સ્પર્શમાં ચ અંતરવવવાનું સામર્થ્ય હતું. લાવનારની જીભ ફરીથી ન ઉપડી શકી. પ્રાણીને પશ્ચાત્તાપ જાગે એટલે પાપને મોટો ઢગ પણ બળીને ભસ્મ થવાને! હિણેયના દિલમાં આજે એવો પસ્ચાતાપ જાગે છે. એના સમર્થ આત્માને સાચો રાહ મળે છે. રેહિણેય મહાર હોવા છતાં મહામુનિ થવાની યોગ્યતા રાખે છે. કેવલ માગે બદલવાની જરૂર છે. એના જેવા સંયમી ને શૂરવીરથી શું અશક્ય છે?” “પ્રભો, હું આપને ભવભવનો આભારી છું. હું યતિધર્મ અવશ્ય સ્વીકારીશ, પણ તે પહેલાં મગધરાજ, મહામાત્ય અને મગધની પ્રજાની મારે ક્ષમાયાચના કરવાની છે. એમનું ધન–વિત્ત તેમને પાછું ઑપવાનું છે. કદાચ તેઓ શિક્ષા કરે છે તે પણ સહન કરવાની મારી તૈયારી છે.” “રોહિણેય, જેનો અન્તરદીપ સળગ્યો, એને ક્યાં ય અવરોધ નથી નડતો. સુખદુઃખ, માનાપમાન એને માટે બધું સમાન છે. મગધરાજ ને જાબી બધા હમણાં આવી જ રહ્યા હશે.” હિણેય તે મગધનું મહાઆશ્ચર્ય હતું. વનશ્ચયની નજીક આવેલા મગધના લોકોને જાણ થઈ ત્યારે મહામંત્રી ને મગધરાજ સાથે હોવા છતાં, ચતુરંગી સેના સજજ થઈને સાથે ચાલતી હોવા છતાં પ્રજાના અંતરમાં ભયનો સંચાર થયો. અરે, એ તે પવનવેગી પુરૂ છે. વીજળીની જેમ આટલા સમુદાયમાં વચ્ચેથી હમણાં અદશ્ય થઈ જશે. પણ ના, ના. ભયભીત લોકોએ જ્યારે એને નમ્ર બનીને મગધરાજ અને મહામાત્યના ચરણે નમસ્કાર કરતો જોયો ત્યારે તેઓ લેશ શાન્ત પડ્યા. એ પછી રોહિણેય સમસ્ત પ્રજાની પાસે ક્ષમા