________________ 280 મહર્ષિ મેતારજ અહિંસા, સંયમ અને તપનો સમુચ્ચય એ ધર્મ ! માનવી કાઈને મન, વચન, કાયાથી મારે નહિ, ત્રાસ આપે નહિ કે સંતપ્ત કરે નહિ, મનને સદા પિતાને વશ રાખી બેટી વૃત્તિઓથી વેગળું રાખે, અને તપ સેવે, આનું નામ ધર્મ છે. આ ધર્મનું પાલન કરનારને દેવતાઓ પણ નમે છે.” * હે તારણહાર, મારા કર્મો અત્યંત હીન છે. મારા દેહનું એક એક રોમ હિંસા, દ્વેષને લેહીથી ખરડાયેલું છે. રાત્રીના ઘોર અંધકાર જેવું હિંસક મારું હૃદય છે, અને આ નમંડળના તાર જેવાં પ્રગટ મારાં પાપ છે. શું હું યતિધર્મને યોગ્ય છું?” “અવશ્ય !" સ્વામિન, મને અશક્ય ભાસે છે.” “કેમ?” “દીનાનાથ, આપની આંખમાં તો ધવના તારા જેવું નિશ્ચલ તેજ છે, અને આપની છાતીમાં તો કેસરીસિંહના સંહારક શરભનું સાહસ છે પણ આ સભા સ્તબ્ધ ન બની જાય તે માટે મેં મારું નામ નથી આપ્યું. મારું નામ રહિણેય!” “રોહિણેય !" પર્ષદામાંથી એકદમ અવાજ ઊડ્યો. થોડીક હેહા મચી ગઈ “હિણેય! આ ભવમાં તે શું, ભવભવમાં પણ યતિધર્મને ચોગ્ય ન થઈ શકે !" એકાએક કઈ બોલી ઊઠયું. * धम्मो मंगलमुक्किडं, अहिंसा संजमो तवो / देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो / / –દશવૈકાલિક