________________ 274 મહષિ મેતારજ પરાક્રમી મેતારજ સાથે રાજકુમારી સુવર્ણનાં લગ્ન થશે. પ્રજા ઘરે શણગારે, શેરીઓ સંમાર્જન કરે ! કુમારિકાઓ ને પુરવધૂઓ મણિમુક્તાને વર્ષાદ વરસાવે ! મહાનગરીની પ્રજાઓનાં ભાગ્ય સદા અત્યાચ્ચર્યવન્તી ઘટનાઓ સાથે સંકળાયેલાં હોય છે. એક રસ બનેલી પ્રજાએ ઉત્સવ આરંભ્યો. પ્રજાએ આગળ-પાછળની વાત ભૂલી મેતારજને પિતાને નગરશ્રેષ્ટિ બનાવ્યો. ગરજ સમયે લગ્નવિધિ પતાવીને પાછા ફરતા મેતારજનાં જે સ્વાગત થયાં એની દેવો પણ ઈર્ષ્યા કરે તેમ હતું. મગધરાજે રાજકુમારી સાથે નવનિર્મિત દેવવિમાન પ્રાદ પણ અર્પણ કર્યો હતે. નવવધુ સાથે મેતારજે એમાં પ્રવેશ કર્યો ત્યારે સાતે સુંદરીઓએ બંનેનું સહર્ષ સ્વાગત કર્યું. આ દશ્ય દેવની પુરી અલકાની યાદ આપે તેવું હતું.