________________ મગધરાજનો જમાતા 273 જોઈએ. વૈભારગિરિના અગમ્ય પ્રદેશોમાંથી એક ઘોરી માર્ગ બનાવે ! એ રસ્તે જ્ઞાતપુત્રને પ્રથમ પધરાવે! વટેમાર્ગ અને વણઝારેને ચાલુ કરે, તે જ બની શકે ! આ કામ ખરેખર દુઃસાહસ હતું. દ્રવ્યને તેટો નહતો, પણ આવી સુચિભેદ્ય ગિરિમાળોનાં પેટાળ ફેડનાર માનવશક્તિને અભાવ હતો. છતાં જ્ઞાતપુત્રના દર્શન લોભે મેતારજને દિગુણિત ઉત્સાહી બનાવ્યો. એણે દેશદેશથી કુશળ મેને તેડાવ્યા ને ભયંકર અટવીઓમાંથી સુંદર માર્ગ–નિર્માણનું કામ શરૂ કર્યું. વૈભારની ભયંકર શિખરમાળો ભેદવા માંડી. માર્ગની બંને બાજુએ સુંદર વૃક્ષો રોપાવા લાગ્યાં. મેતારજ વિચારી રહ્યો હતોઃ " આ સુંદર ને ટૂંકા માર્ગેથી જે વેળા પરમ તપસ્વી મહાવીરજ્ઞાતપુત્ર પધારશે, એ વેળા આ જ પવિત્ર બની નાચી ઊઠશે. કદાચ સામ્રાજ્ય લોપાઈ જશે, પણ આ માર્ગ નહીં લેપાય. હજારો શ્રમણ, અનેક માલ ભરેલી વણઝારો અહીંથી પસાર થશે. આ વસ છાયા ઢળશે, આ વનમૃગો સાથીદાર બનશેઃ રાજગૃહીનો વ્યાપાર સમૃદ્ધ બનશે !" આ કામને દિવસો લાગ્યા, પણ એક અશકય મનાતું મહાભારત કાર્ય સમાપ્ત થયું. દેશદેશ વચ્ચેનાં અંતરે એ દહાડે ઘટી ગયાં. નવો માર્ગ નવયાત્રા સમાન થઈ પડ્યો. વિભારની પ્રદક્ષિણા કરીને પ્રવાસ ખેડતા ને દિવસો બાદ એક શહેરથી બીજે શહેર પહોંચતા શાહ સોદાગરોને હવે લાંબા પ્રવાસમાંથી મુક્તિ મળી. આ મહાન કાર્યો પ્રજાની લાગણીને ફેરવી નાખી. મેતારજ બનેલા મેતાર્યની સહસ્રમુખે પ્રશંસા થવા લાગી. થોડીવારમાં તો નગરમાં ઢંઢેરે પિટા સંભળાયેઃ “મહાન