________________ જીવનશુદ્ધિ [23 ] એકવાર ભૂલેચૂકે અગ્નિ સ્પર્શી જાય અને ભાગ્યયોગે એને પવનને સાથે મળી જાય, પછી એ આગ બુઝાવી શક્ય નથી. એવી જ રીતે ગમે તેવા ઘરપાપીના દિલમાં કઈ નવીન પ્રકાશનું એકાદ કિરણ પ્રવેશી જાય અને પછી મનોમંથનને અવકાશ એને સાંપડે તે એ પ્રકાશ ચિરંજીવ બની જાય છે. દુર્ગચંડ બની રાજગૃહીની અભેદ્ય સત્તાને થાપ આપીને, પાછા વળતા રહિણેયના દિલમાં અવનવીન જે, તોફાન જગ્યું હતું, તે દિવસે વીતવા છતાં એવું જ મનોમંથન જમાવી રહ્યું હતું. એ ગુફાએ ગુફાએ ભયે, શિખરસંગેએ ભટક્ય, પણ એને ક્યાં ય ચેન ન પડ્યું. એને ખરે વખતે નાજુક બનેલા પિતાના દેહ પર ક્રોધ ઉપજી રહ્યો હતો. પિતાની તેનવિદ્યા, સંમોહની શક્તિ ને શસ્ત્રાસ્ત્ર વાપરવાની કુશળતાની નિષ્ફળતા એને ડસી રહી હતી. અરે, આવા દેહને ભરોસો શો ? આવી શક્તિઓની વિશ્વસનીયતા શી? રોહિણેયની નજર સામે એના દાદાની, એના પલ્લીવાસીઓની મૂર્તિઓ ખડી થઈ. વેર, વેર ને વેર. બદલો લેવાની ભાવનામાં ન જાણે કેટકેટલી જિંદગીઓ ધૂળધાણું થઈ! દાદ બિચારો પળવાર શાંતિથી ન જી. એની શક્તિએ, એના શસ્ત્રસામર્થ્ય