________________ સ્વર્ગસેંકમાં 263 બોજ હળવો થતાં તમે ચિરકાળ સુધી આ સુંદર સ્વર્ગ, આ સૌંદર્ય ભરી અપ્સરાઓને ભોગવી શકશે.” પણ આ શબ્દ કંઈ કંઈ સતેજ બનતા જતા પુરુષ પર જુદી અસર નીપજાવી રહ્યા. એ મનમાં ને મનમાં વિચારી રહ્યો : શું સ્વર્ગમાં ય સુકૃત્ય ને દુષ્કૃત્યની માથાકૂટ રહેલી છે? અને પુરુષે ખુલ્લી રહેલી વાતાયને વાટે દૂર દૂર સુધી નજર નાખી. મધરાતનું આકાશ તારલિયાઓથી છલોછલ હતું ને દૂર દૂર પૃથ્વી પરના દીપકે દેખાતા હતા. એણે દૂરની નજર સંકેલી ચારેતરફ ખંડમાં નજર નાખી. ખંડમાં મેહની રૂપ ધરીને નયનનર્તન કરતી, કટીભંગ કરતી, વિધવિધ હાવભાવ રચતી એ જ અપ્સરાઓ ખડી હતી. શું સાચું ? પિતાના સુકૃત્ય-દુષ્કૃત્યોને પ્રગટ કરી દેવાં? હજી શરીરમાં ઘેન ચડેલું જ હતું. મદભરી કાયા સેજમાં બેઠેલી અપ્સરાના સુકોમળ અવલંબન વગર ટટ્ટાર બેસી શક્તી નહતી ! સ્વર્ગ! અપ્સરા ! અને પુરુષને પિતાનાં સુકૃત્ય ને દુષ્કૃત્ય યાદ આવવા લાગ્યાં. મોટામાં મોટું દુષ્કૃત્ય કર્યું ! અને એ પુરુષને પિતાનું એક મહાન દુષ્કૃત્ય યાદ આવ્યું! એણે હિણેયના જન્મમાં પિતાની આજ્ઞા ઉલ્લંઘીને પેલા જ્ઞાતપુત્રની વાણું સાંભળી હતી ! એ જ મોટું દુષ્કૃત્ય ! એ વાણી સાંભળવા કરતાં એ વેળા પોતે મરી કેમ ન ગયો? કેવું દુષ્કૃત્ય ! અને દુષ્કૃત્યની યાદ સાથે પેલા શબ્દો એના સ્મરણપ્રદેશમાં ગુંજારવ કરી રહ્યાઃ અરે, એ જ સ્વર્ગભુવન શું આજ ! આ જ પેલાં દેવદેવીઓ! શું આ સત્ય હશે કે પ્રપંચ ! મગધને મહાર રેહિણેય મરી ગયો ? આ મારે નવો અવતાર છે? ખરેખર, હું સ્વર્ગમાં છું ને