________________ મગધરાજને જામાતા [ 22 ] રોહિણેયના પ્રસંગ પછીથી મહામંત્રીના હૃદય પર ઔદાસીન્સને પડેલ મહાન પડદો ઘણું વખત સુધી ન ઊપડ્યો. એ દરમિયાન પિતાના પ્રિય મિત્ર મેતાર્યમાં સાત કન્યા સાથે લેવાયેલાં લગ્ન સાનંદ સમાપ્ત થયાં : છતાં ય એ આનંદને પ્રસંગ એમના દિલને ઉત્તેજી ન શક્ય. અચિંત્ય મનાતી પોતાની શક્તિઓ એક સામાન્ય માણસ વિફળ બનાવી શકે એની ગ્લાનિ એમના અંતરને સદદિત ભરી રહેવા લાગી. પણ પ્રજાની સ્થિતિ જુદી હતી. પ્રારંભમાં રોહિણેયની મુદ્રા પરિવર્તનની કુશળતાના પરિણામે એ ભૂલાવામાં પડી, પણ એ પછી તો તેઓને વિશ્વાસ થયો હતો કે મહામંત્રી સિવાય પૃથ્વી પરને કઈ યોદ્ધો રોહિણેયને આમ ઝડપી શકે તેમ નહોતેઃ અને તેના છુટકારાના સમાચાર પછી પણ પ્રજા ભયવશ થવાને બદલે મગધના અદલ ઈન્સાફની પ્રશંસા કરી રહી હતી. એ તે માનતી હતી કે આજે છૂટેલે રોહિણેય હવે રાજગૃહી સામે નજર નહીં નાખે, ને નાખશે તો હજાર હાથવાળા મગધરાજને મહામંત્રી હવે એને પાછો આવતો. જવા નહિ દે !