________________ 160 મહષિમેતારજ બાંધેલા પાશ ને દેરડાં ફરીથી કસીને બાંધી લીધાં, રખેને આ રીતે તેફાન મચાવી બંદીવાનો નાસી ન છૂટે, ઉપરાંત મહામાત્ય અભયે સાથે ચાલતા સિન્યને ચાર ભાગમાં વિભક્ત કરી નાખ્યું. આ જનાથી સૈનિકેની જીવતી ચાર દિવાલ રચાઈ ગઈ પણ આશ્ચર્યની વાત એ હતી કે બધા કરતાં પેલો કિમતી ઉષ્ણીષ ને હીરાજડિત પટાવાળા જોરજોરથી બૂમ પાડતે હતઃ મહારાજ રહિણેયની જય !" “વાહ વાહ રે મહારાજ રહિણેય ! તમારે જયજયકાર ઉચ્ચારનાર બીજા કેઈન રહ્યા તે હવે તમે સ્વમુખે જ્યકાર કરી રહ્યા છો !" મહામાત્ય અભયે વિજયની ખુમારીમાં મૂછે તાવ દેતાં કહ્યું: “મૂંઝાશો મા, મહારાજ રેહિણેય, મગધની શેરીએ શેરીએ તમારા જ્યકારની વ્યવસ્થા જ છે. આવા વેશમાં ખુબ રૂપાળા લાગશે, હો! બંદીવાનને દોરદમામ શોભે છે, ખરે; હે મહારાજ રેહિણેય !" મહામાત્યે મહારાજ રેહિણેયના સબંધનને બેવડાવ્યું. “ક્યાં છે મહારાજ રેહિણેય? મગધના મહામંત્રી, શું તમે મારું સ્વાગત મહારાજ રોહિણેય તરીકે કરે છે? વાહ, વાહ ! " અને તે પલ્લીવાસી ખડખડાટ હસી પડ્યો. હું તારી લુચ્ચાઈ. જાણું છું; ચાલાક લૂંટારા ! મગધના મહામંત્રીને બનાવ સહેલ નથી. એ બહાને તારે છટકી જવું છે !" મહામાત્યે શાંતિથી જવાબ વાળે. ના, ના, મહામંત્રી ! છટકવાની લેશમાત્ર મારી ઈચ્છા નથી. મગધને ન્યાય જે શિક્ષા કરે, અને તે ગમે તેવી ક્રૂર હોય તે પણ તેમાંથી છૂટવા હું ઈચ્છતો નથી. મહારાજ રેહિણેય અમર તપે, એ છૂટયા એટલે અમારાં હજાર જીવન-મૃત્યુ કુરબાન છે!” “શું તું રોહિણેય નથી ?"