________________ કોણ સાચું ? [ 20 ] ઊંચી શિખરમાળાને ભેદીને સૂરજનારાયણે વનપ્રવેશ કર્યો ત્યારે કેવલ છ અ જ તબડક તબડક કરતા માર્ગ કાપી રહ્યા હતા. બધાના મુખમાંથી ફીણના ગેટેગોટા નીકળી રહ્યા હતા. આગળ જતે ઘોડેસવાર ને પાછળના ઘોડેસવારે વચ્ચે અંતર ઠીકઠીક હતું, પણ હવે જાણે પાછળના ઘોડેસવારો જીવ પર આવી ગયા હોય તેમ લાગતું હતું. પાછળના અોની ગતિ વધી. અંતર ઓછું થતું ચાલ્યું, પણ પકડી પાડી શકાય તેટલું તે નહિ જ ! “મંત્રીરાજ, જીવતો કે મરેલો! હવે લાંબે શો વિચાર કરો છો?” તરત જ આગળના ઘોડા પર સવાર થયેલ મહામંત્રી દોડતા ઘેડાની પીઠ પર ઊંચા થયા ને હાથમાં રહેલું મોટું “કુંત'' ફેંકયું. પ્રચંડ ધનુષ્યમાથી ફેંકાયેલા તીરની જેમ હવામાં જબરે સૂસવાટો બોલાવતું “કુંત” રોહિણેય તરફ ધસ્યું, પણ જીવ લઈને નાસતા એ કુશળ ચોરની ગરદનને પણ જાણે આંખો હતી. એ ચેતી ગયો ને પોતાના કાળથી બચવા નિમેષ માત્રમાં અસ્વની પીઠ 1 નાનું ભાલું.