________________ કેણ સાચું ? 247 સૂરજ પિતાનાં આગના ભડકા જેવાં કિરણેથી બધે ઊકળાટ ફેલાવી રહ્યો હતે. ભૂખે ને તરસ્યો ઘાયલ રેહિણેય આ ટેકરીથી પેલી ટેકરીએ અને આ ગુફાથી બીજી ગુફાએ નાસતો હતે. શિકારી પશુ જેમ હવામાં લાંબો શ્વાસ લઈ ભય પારખી લે એમ રેહિણેય પિતાની પાછળના ભયને પારખી ગયો હતો. પણ આજે એને નિરાશા ઘેરી વળી હતી. પ્રતિજ્ઞાભંગનું અત્યંત દર્દ એના દિલમાં ખડુ થયું હતું. જે શરીર પર પિતાને અભિમાન હતું, એણે જ દગો દીધો! પિતાના વફાદર અસ્વ જેટલી ય હિંમત એણે ન બતાવી. આવા શરીર પર શો ભરોસો ! ને એ રીતે સ્વયં પોતાની જીવન–આલોચના કરવા લાગ્યો. દાદાએ વસાવેલી સુંદર પલ્લી ક્યાં? પિતાના વફાદાર સાથીદારો આજે મગધના કારાગૃહમાં સડે છે! ને પિતે? પતે એટલે? હું?' ક્ષણવાર રહિણેય ખુમારીમાં ચડી ગયેઃ અરે, હું એટલે? મારા નામથી સગર્ભાના ગર્ભ ગળી જાય છે ને યોદ્ધાઓના હાથમાંથી તલવાર સરી જાય છે! રાજગૃહીને લૂંટવાનું મહામૂલું કામ કરનાર રોહિણેય કેટલાની ને કોની માએ જણ્યા છે? મગધરાજ ને મહામંત્રી જેવાનાં બુદ્ધિબળની હાંસી કરનાર બીજે કઈ નર તે બતાવો !" પણ એટલામાં વિચારમાળા પલટાણું! જાણે એનું મન જ એને કહેવા લાગ્યું. “અરે, પણ એથી શું કામ સર્યું! તું રાક્ષસ બન્યો, પિશાચની પ્રતિમતિ તરીકે પંકાયો. તારા કુળની શી પ્રતિષ્ઠા વધારી? તારા કુળને તાર્યું? અરે, એક નાનાશા તીરે તારી પ્રતિજ્ઞા ધૂળ મેળવી. લોકે જાણશે ત્યારે તારા નામ પર નહિ થૂકે !" રોહિણેય નિરાશામાં બેસી ગયો.તરશથી એનું ગળું સૂકાઈ રહ્યું હતું. એણે ચારે તરફ નજર ફેકી. થોડે દૂર એક નાનો કુવો દેખાતે હતે.