________________ 246 મહષિ મેતારજ જતો હતો, એમ પીછે પકડનારા પણ નજીક આવી પહોંચવાની સંભાવના વધતી જતી હતી. નિરુપાયે, પોતાના આવા કમર શરીરને ધિક્કાર આપત રોહિણેય નીચે બેસી ગયો ને જે દિશામાંથી અવાજ આવતા હતા તે દિશાના કાન તરફ હાથ મૂકી પગમાંથી તીર કાઢવા લાગ્યો, પણ તીર તે બે બાજુ નીકળ્યું હતું. એક હાથે ખેંચી શકાય તેમ ન લાગ્યું. આખરે એણે બે હાથે કાઢવા પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો જે અવાજ નહોતો સાંભળો એ જ અવાજ કાન પર અથડાવા લાગ્યો. કેવો અવાજ! હવામાં રહેતા આવતા નીચેના શબ્દો એના કર્ણપટલ પર અથડાયાઃ “મહાનુભા, સત્કર્મ કરનાર દેવપદને પામે છે. દેવોને રાજા ઈદ્ધ છે ને તે સ્વર્ગમાં રહે છે. દેવો કેવા હોય છે, તે જાણે છે? તેમના ચરણ પૃથ્વીને કદી સ્પર્શ કરતા નથી, તેમનાં નેત્રે કદી ઉઘાડમીંચ થતાં નથી, એમની પુષ્પમાળાઓ કદાપિ કરમાતી નથી અને એમનો દેહ પ્રસ્વેદથી રહિત હોય છે.” હાશ.” એક મોટા હાશકારા સાથે એણે તીર ખેંચી કાઢવું ને ઊભો થયો. ને વેગથી દેવો. આટલા શબ્દો એનાથી મનેકમને સાંભળી લેવાયા હતા, એને અત્યંત પશ્ચાત્તાપ તેના દિલમાં ઉભરાઈ રહ્યો હતો. “અરેરે ! મેં કુળ બન્યું ! મારાથી વિશેષ કંઈ કરી શકાયું નહિ, અને વધારામાં શિરછત્ર દાદાની સામે લીધેલી પ્રતિજ્ઞા પણ તેડી! સ્વર્ગમાં બિરાજેલ દાદા ન જાણે મારા પર કેવો શાપ વરસાવતા હશે !" રોહિણેય આકાશ સામે ક્ષણવાર મીટ માંડી રહ્યો ને પછી જાણે કોઈનો ઠપકો સાંભળી પોતે ગ્લાનિ પામતો હોય તેમ જોરથી નાઠો. ન એણે ઊંડા ઘાને પૂરવા વનસ્પતિ શેધી કે ન એણે પાટે વીંટ.