________________ ર૪૮ મહષિ મેતારજ એ કૂવા તરફ ચાલ્યો. કૂવો પાણીથી ક્લેછલ ભરેલો હતે. એણે કાંઠે બેસી પીવા માટે બે ભર્યો, પણ તરત કેઈ ગધે એના નાકને ચમકાવી દીધું. એણે ફરીથી જરા સાવચેતીથી પાણી સંધ્યું, અને તરત જ ખોબે ઢળી નાખી ઊભો થયેઃ “હટ, આખરે આવો પ્રપંચ ! પાણીમાં પણ કરી. વિષને પ્રયોગ !" પણ સાથે જ ઝાડ પરથી કેઈને સરકવાનો અવાજ આવ્યો ! થાકેલો, નિરાશ બનેલો રોહિણેય સાવચેત બને તે પહેલાં તે બંદીવાન બની ગયો. દશે " બરાબર, દગાખોર સાથે દગો !" મહામંત્રીએ એના પાશ મજબૂત કર્યા. થોડીવારમાં આજુબાજુ છુપાયેલા સૈનિકોથી એ સ્થળ ઊભરાઈ ગયું. રોહિણેયને મજબૂત રીતે બાંધીને બધા પાછા વળ્યા. આજે સર્વેના દિલમાં આનંદ સમાતે નહતે. મગધનો મહાન ચેર મહામુશ્કેલીએ જીવતો પકડાયા હતા, મહામંત્રીની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી અને મગધની પ્રજાના માથેથી સદા તોળાઈ રહેલી એક આફત પણ ઊતરી ચૂકી હતી. અત્યંત સાવધાની પૂર્વક બધા પાટનગર તરફ વળ્યા. પણ અરે આ શું? કાચડે પિતાના રંગ બદલે એમ આ રેહિણેય ધીરે ધીરે પોતાની આખી આકૃત્તિ પલટી રહ્યો હતો. વેશપરિવર્તનમાં નિપુણ રોહિણેય મુદ્રા–પરિવર્તનમાં પણ અજબ કૌશલ્ય ધરાવતે લાગે. છતાં ય આખા માર્ગ દરમ્યાન રોહિણેય શું કરી રહ્યો હતો. એની આવા કૂવાઓ અત્યારે પણ સમેતશિખર પર્વત (પાર્શ્વનાથ હીલ) પર મૌજુદ છે, જેના કાંઠે બેસી મુસાફર ખેબાથી પાણી પી શકે છે !