________________ 252 મહષિ મેતારજ મહારાજ, કુટુંબી છું. મારું નામ દુર્ગચંડ. બાપજી, ખેતી કરતો ને ખાતોપીતે તે, ત્યાં રોહિણેયે કેર કર્યો. એક રાતે મારા ખેતરમાં ફરતો તે, ત્યાં રોહિણેય આવ્યો. હું એનાથી બચવા ઘરબાર છોડી નાઠો, પણ એણે મારો પીછો લીધે. એક તીર મારી મારા પગને વીંધી નાખ્યો અને પછી એ મને પકડીને લઈ ગયો ને આ બધા સિનિકે નિરાંતે ઊંઘતા હતા, ત્યાં લઈ જઈને હાથેપગે બાંધીને નાખ્યો. એ તે તરત નાસી ગયે. મેં ઘણું કાલાવાલા કર્યા, પણ મારું કોણ માને ! મહામંત્રી મને પકડીને અહીં લાવ્યા. મહારાજ, તમારું નામ ઘણું સાંભળ્યું છે. હવે તે તમે મારે કે જીવાડે !" આ શબ્દો સાંભળી શ્રમિત મહામંત્રીને પણ જાણે કંઈ થઈ ગયું. એક પળવાર તે પિતાનાં બુદ્ધિબળનું ગુમાન સરી ગયું. પણ પુનઃ સ્વસ્થ થતાં તેમણે કહ્યું આ જ પતે કપટપટુ રોહિણેય છે. એની ચાલાકી હવે નહિ ચાલે! એને ભયંકર શિક્ષા થશે.” અવશ્ય. પણ શિક્ષા કરવા પહેલાં ગુનાને નિર્ણય અને ગુનેગારની એક્સાઈ તે કરવી પડશે ને! એક ચેર, મગધનું સિંહાસન ન્યાય ન કરી શકે એટલું પાંગળું બનાવી શકે ખરો કે?” મગધ. રાજનો અવાજ ગાજ્યો. મહારાજ, બહુ નિહાળી નિહાળીને જોતાં હવે મને પણ આજ હિણેય લાગે છે.” મેતારને વચ્ચે કહ્યું. ઈ શકે, પણ એમ સંશયભરેલો નિર્ણય ન્યાય પાસે સ્થાન ન પામે ! એક નિર્દોષ દંડાય એના કરતાં હજાર ગુનેગાર છૂટી જાયઃ એ. ન્યાયાસનને વેગ્ય લાગે છે.” જે મગધરાજના ન્યાયદંડ નીચે મગધવાસીઓ નિશ્ચિંત પણે જીવી શક્તાં, એ જ ન્યાયતંડ આજે મહામંત્રી જેવા મહામંત્રી સામે હોવા છતાં પક્ષપાત કરવા તૈયાર નહોતે !