________________ 250 મહર્ષિ મેતારજ “અરે, પણ એની આંખો તે જુઓ. બિચારાને કીકીઓ જ ક્યાં છે? રતાંધળો લાગે છે. મહામંત્રીએ “આલા ને બદલે માલાને પકડી લાવવા જેવું તો નથી કર્યું ! આ તો રોહિણેય નથી જ !" આમ ટીકાને વિસ્તાર વધતો ચાલ્યો. લકે મૂછમાં હસવા લાગ્યાં. જે નગરજનોએ લૂંટારા તરીકે એને નીરખેલે, તેઓએ તે ચોખ્ખીચટ ના ભણું કે આ રેહિણેય નથી જ ! કેટલાક ઉત્સાહી નગરજનો દેવદત્તાને પૂછી આવ્યા. જાણે પિતાની આંખ દગો દેતી હોય તેમ એણે વારેઘડીએ ઉઘાડમીંચ કરતાં ધીરેથી ડોકું ધુણાવી ના પાડી. દેવદત્તાની દાસી ઘણીવાર શેખી કરતી કે એ છેલછબીલા સાર્થવાહને સર્વ પહેલાં પાનનાં બીડાં મેં જ આપેલાં. કેટલાક ટીંપળી લેકે દેડીને એને ઘસડી લાવ્યા ને પેલા માણસને બતાવી પૂછ્યું: “બેલ જે, આ જ પેલે સાર્થવાહને! તારી દેવદત્તાની સેજનો સાથી!” દાસી છંછેડાઈ પડી. એને આવા અણઘડ પુરુષનો સંબંધ પિતાની રૂપશાલિની દેવદત્તા સાથે જોડવાથી ખોટું લાગ્યું. એ બેલીઃ “ફરીથી બેલ્યા છે તે ખબર જ લઈ નાખીશ. અરે, આ માણસ તે કંઈ માણસમાં છે ! મને તે પંઢ જેવો લાગે છે. એની ચાલ ને લાળ ટપકતા હઠ તે જુઓ !" અરે, પણ કુમાર મેતાર્યને જ પૂછો ને? કુમાર મેતાર્ય રાજમહેલે હતા. એમણે પણ સામેથી જંજીરોમાં જકડાઈને આવતા રેશહિણેયને જોઈ કહ્યું : “મહારાજ, આ શું? આ રહિણેય ન હોય !" શું મહામાત્ય રહિણેયને બદલે બીજા કોઈને પકડી લાવ્યા