________________ કોણ સાચું? 243 પરથી એક બાજુ મૂકી ગયો. કુંત સવારને બદલે અસ્વની ગરદનમાં ઊંડું ઊતરી ગયું. લોહીની ધાર વછૂટી છતાં વફાદાર અશ્વ મૂંઝાયો નહિ. એણે તે પ્રવાસ જારી રાખ્યો. કુંતને ઘા ખાલી જતાં રોહિણેય ફરીથી બરાબર સવાર થઈ ગ, ને ક્ષણ માત્રમાં અશ્વની ગરદનમાંથી કુંત ખેંચી કાઢ્યું. લોહીના કુવારાઓ ઉડાડતે અશ્વ જરા ય નહોતે. હિણેય જેવા પિતાના અસવારનું જાણે પ્રાણપણથી પણ રક્ષણ કરવાનું બીડું એણે વગર કહ્યું ઝડપ્યું હતું. એ એટલા જ વેગથી આગળ દે જતો હતો. કેટલીએક પળો આ રીતે વીતી ગઈ. વનપ્રદેશના જાણકાર રોહિણેએ મહામંત્રી અને તેમના ગણ્યાગાંઠયા મદદગારને વનની ખીણમાં ઘાંચીના બળદની જેમ ફેરવવા માંડ્યા હતા. સૈનિકો અને તેમના અો થાક્યા હતા. કેવલ મહામંત્રી અત્યંત આવેગથી પીછો પકડી રહ્યા હતા. ચતુર રોહિણેયને અશ્વ હવે લોહીના અત્યંત વહેવાથી અશક્ત બનતો જતો હતો. એણે પિતાનું વસ્ત્ર ફાડીને દોડતે અશ્વે પાટે વીટહ્યો હતો, પણ ઘા સામાન્ય નહોતો. હવે અશ્વ પર ભરે સો રાખવા કરતાં એણે બીજું કંઈ વિચાર્યું. વનની વનરાઈ ગાઢ બનતી જતી હતી. મહામુશ્કેલી એ માણસ ચાલી શકે તેવી અનેક નાની આડીઅવળી કેડીઓ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. રોહિણેયે એક આવી કેડીને ભાગ લીધે, ને પળવારમાં ઝાડીમાં અદશ્ય થઈ ગયું. પણ મહામંત્રી આજે તો છેલ્લે નિર્ણય કરીને નીકળ્યા હતા. રોહિણેય ન મળે તે એમના માટે પણ હવે રાજગૃહીનાં ઝાડવાં જેવાનાં નહોતાં. તેમણે પણ અસ્વને ઝાડીમાં ધકેલ્ય, પણ અંદર જતાં તેઓ જુએ છે, તે એક ઝરણને કાંઠે પેલો ઘાયલ અશ્વ ખાલી ઊભો હતે.