________________ 12 મહર્ષિ તારાજ મહારાજને પકડી પાડી શકશો !" “મહારાજ ?" પલ્લીવાસીના મહારાજ શબ્દને મહામાત્યે તુચ્છકારપૂર્વક ઉચ્ચાર્યોઃ “મહારાજ! વાહ રે મહારાજ ! કાયરની જેમ ભાગી છૂટયો ! નામર્દો મહારાજ !" મંત્રીરાજ, મુકાબલો થાય ત્યારે જ ખબર પડે કે કણ નામર્દને કેણવીર? બાકી આજે તે મહારાજ રહિણેય જગતમાં બુદ્ધિનિધાન મહામંત્રીની બુદ્ધિની ફજેતી કરવા જ નાસી છૂટયા છે. મગધની ભરબજારો વચ્ચેથી જ્યારે આપણે નીકળીશું, અને મગધની પ્રજા કે જેણે મહારાજ રેહિણેયને આંખ ભરી ભરીને નીરખ્યા છેઃ એ જોશે કે આ તે રોહિણેય નહિ, પણ એના દાસાનુદાસને રોહિણેય સમજીને મહામંત્રી પકડી લાવ્યા છે. ત્યારે કેવી હાંસી થશે? બુદ્ધિનિધાન મંત્રીની હેશિયારી પર કેવાં વ્યંગબાણ કરશે? મહામંત્રી, પ્રજા એ વખતે કેને ધન્ય ધન્ય કહેશે? એ વખતે અંતરમાં કેની બુદ્ધિની વાહવાહ પિકારાશે ? કુશળ માછીમારની જાળમાં મગરમણ્યને બદલે એક નાને મત્સ્ય સપડાયેલો જોઈ લો કે શું શું કહેશે ? ચાલ, જલદી પગ ઉપાડો ! મગધની શેરીએ શેરી અમારા જયજયકાર માટે રાહ જોતી ઊભી હશે.” આ શબ્દો નહોતા. એકેક ભાલાનો ઘા હતો. અને જે આ વાચાળ લૂંટારાની વાત સાચી હોય તે બદનામીને ક્યાં આરો હત ! મહામંત્રીએ તરત કુમાર મેતાર્ય અને માતંગને સાચા રોહિણેયને પરખવા માટે તેડું મોકલ્યું. મગધમાં પવનવેગે મહામાત્યની યશગાથાઓ પહોંચી ગઈ હતી. અજેય એવા રોહિણેયને વશ કરીને જીવતે પકડી લાવનાર મહામાત્યના સ્વાગતની તૈયારીઓ પણ ચાલી રહી હતી. એવામાં કુમાર મેતાર્ય અને માતંગના તેડાના સમાચારે એક નવી જ હવા પ્રસરાવી.