________________ 174 મહર્ષિ મેતારજ ઈજાલ તેડવાના દઢ મને રથ સાથે એ આગળ વધ્યો. ત્યાં કોઈ અપૂર્વ સ્વર એના કાને અથડા. આવો, ઈદ્રભૂતિ ગૌતમ આવે ! કુશળ છોને!” કોણ મને નામથી સંબોધે છે! મારું નામ જ્ઞાતપુત્ર કેમ જાણે ઇન્દ્રભૂતિ ગૌતમ ક્ષણવાર અચંબામાં ડૂબી ગયે. પણ તરત એને લાગ્યું કે પૃથ્વીના પટ પર એવું કશું હશે કે જે ઈદ્રભૂતિ ગૌતમને ન જાણતું હોય! હા, હું ઈદ્રભૂતિ ગૌતમ ! હે મહાન દ્રજાલિક, હું વાદ કરવા નિમિત્તે અહીં તારી ઈદ્રજાલ વિદ્યાને સંહરી લેવા આવ્યો છું.” “હું દ્રજાલિક? ગૌતમ, શાન્ત થા ! સાચા તપસ્વીઓ ચમત્કારી હોય છે, પણ ચમત્કાર કરતા નથી. તું વાદ કરવા આવ્યો છે કે સંશનિવારણ કરવા આવ્યો છે તે બધું હું જાણું છું.” “મનેઈદ્રભૂતિ ગૌતમને સંશય? અસંભવ !" ઈદ્રભૂતિને રોષ ભર્યો અવાજ ગા. પ્રતિદ્વંદિતાને એમાં પડકાર હતો, પણ સામેથી એવો જ મીઠે ને વહાલસોયો અવાજ આવ્યો ગૌતમ, આર્યાવર્તના મહાન વિદ્વાન, તારા સંશયને હું જાણું છું. તને જીવના અસ્તિત્વ વિષે સંદેહ છે. પણ ભક, આમ આવ ! શાંતિથી આસન સ્વીકાર ! વિદ્વાનને શંકા જ ન હય, સંશય જ ન સ્પર્શે એ ભ્રમણું ખોટી છે. ઘણીવાર વિદ્યા જ ભ્રમને વધારે છે. તારે સંશય સામાન્ય છે, પણ લોકલાજના કારણે પ્રગટ ન કરવાથી તને ખૂબ ને ખૂબ દહી રહ્યો છે.” ' આ શબ્દો નહેતાઃ એક સુંદર મીઠા ઝરણનું મંદ મંદ ગાન હતું. જે પોતાના સ્વરૂપમાં માનવીને સ્વયં સ્તબ્ધ બનાવી દે! વેદરૂપી સાગરને પારગામી ઈદ્રભૂતિ ગૌતમ ઘણું ઘણું મથી રહ્યો હતો કે