________________ New જ્ઞાતપુત્રને ચરણે 175 પિતાના જ્ઞાનને ગર્વ, પિતાની પંડિતાઈની ઉગ્રતા નમ્ર ન બને પણ એ પ્રયાસ નિરર્થક હતો. એનું ઉન્નત મસ્તક આશ્ચર્યમાં સ્તબ્ધ બન્યું હતું. વાણું આગળ વધીઃ “હે પ્રિય ગૌતમ, જીવ છે. તે અરૂપી છે. એને વર્ણ નથી, એને સુગંધ કે દુર્ગધ નથી. એને રસ નથી. એ સ્પર્શથી પણ પર છે. એ અવિનાશી છે, અને વિનાશી દેહમાં રહ્યો છતાં એ પુણ્ય ને પાપને, સુખ ને દુઃખનો કર્તા ને ભોક્તા બને છે. દેખાતે દેહ એને છે, પણ એ કાઈને નથી. એ તે કીડીના દેહમાં પણ ફર્યો છે, ને ગજરાજ બનીને પણ વિચર્યો છે. છતાં આત્માને કેઈ આકાર નથી. છે, આ વિજ્ઞાનઘન આત્માનું જ કારણ છે, કે તને જીવ વિષેને સંશય થયે. એક નિયમ છે, કે જ્યાં જ્યાં સંશય હોય ત્યાં સંશયવાળો પદાર્થ હોય. જીવ છે, અને તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણેથી જાણી શકાય છે.” વાણી સરળ ને નિર્મળ ઝરણ જેવી હતી. શાસ્ત્રની અનેક , પંક્તિઓ જે ઈદ્રભૂતિના દિલને વશ કરી શકી નહોતી. એ આ સરળ વાક્યપંક્તિઓ કરી રહી હતી. તેણે ધીરેથી પ્રશ્ન કર્યો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એ રચના શું ખોટી છે?” “હે ગૌતમ, એ બધી સાચી છે. ક્ષમા, સત્ય, શીલ, તપ ને !' શાસ્ત્રાભ્યાસ કરનાર ગમે તે હોય, પણ તે બ્રાહ્મણ છે. ભય, દુઃખ. કલેશ ને સંતાપથી મુક્ત કરનાર મનુષ્ય, કહો કે ન કહે પણ તે ક્ષત્રિય છે. નીતિપૂર્વક વ્યવહાર ચલાવનાર, દેશગ્રામની ધન્ય ધાન્યની વૃદ્ધિ થાય એ રીતે વ્યાપાર કરનાર વૈશ્ય છેઅને જે સેવા કર્મ કરનાર છે, સ્વચ્છતા, શુદ્ધિ ને સ્વાથ્ય જાળવનાર છે. એ શક છે. સર્વે પિતપોતાના કર્મ માત્રથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ધ બને છે. એ રીતે શક પણ બ્રાહ્મણ બની શકે છે, ને ક્ષત્રિય પણ વૈશ્ય બની