________________ 184 મહર્ષિ મેતારજ રહ્યું હતું, ન બનેલો બનાવ આજે બની રહ્યા હતા, ધર્મના ઇતિહાસોમાં ન ઘટેલી ઘટના આજે ઘટી રહી હતીઃ આત્માના પ્રચંડ સામર્થ્યને પવિત્રતમાં ઇતિહાસ આજે આળખાતો હતો. વિદ્યા, પંડિતાઈ, ચાતુરી, વાદનિપુણતા અને એવું બીજું ઘણું એક નમ્ર આત્મા પાસે જાણે નિરર્થક બનતું જતું હતું. આઠ પંડિતની વાદગર્જનાથી જાણે દિશાઓ ડઘાઈ ગઈ હતી. પાછળ ઊભેલો શિષ્યસમુદાય સાગરમાં આવેલી ભરતીની જેમ લહેરાત હતો. આવો પંડિતરાજે આવો ! આજે તો આ ભૂમિનાં પુણ્ય જાગ્યાં છે. કુશળ છે ને! હું જાણું છું કે આપ સર્વે મને વાદવિવાદથી પરાસ્ત કરવા આવ્યા છે. પણ આપ જાણો છો કે હું વાદવિવાદથી પર થઈ ચૂકેલ છું. આપના સંશયો તે આ મારા સમર્થ શિષ્ય ગૌતમકુલભૂષણ ઈદ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ છેદશે. આપ ખુશીથી પૂર્વપક્ષ રજૂ કરે ! " એક, બે કે ત્રણ! પૂર્વપક્ષ રજૂ થયો ને ક્ષણવારમાં ઈદ્રભૂતિએ તે તે પંડિતોના સંશયનું નિરાકરણ કર્યું. ત્રણે પંડિતે નિરુત્તર બન્યા. ચાર પાંચ ને છે. એમની પણ એ જ સ્થિતિ થઈ તૈતર્યા તે પૂરી ચર્ચા પણ કરી ન શક્યો. છેલ્લા પાંગરતી તરુણાવસ્થાવાળા પ્રભાસે વાદવિવાદ લાંબે. ચલાવ્યું. વાદવિદ્યાના છલ પ્રપંચને પણ આશ્રય લીધો. પણ એ બાળ વિદ્વાન જ્ઞાતપુત્રની સામે કંઈ વધુ બેલી ન શક્યો. આઠે પંડિતાએ જ્ઞાતપુત્રનું શરણ સ્વીકાર્યું ને સર્વેએ એકત્રિત થઈ જ્ઞાતપુત્ર જે લોકભાષામાં ઉપદેશ આપતા હતા, એ જ ભાષામાં