________________ મેહપાશ 197 “માનું દિલ છે, ભાઈ! વજ સરીખડી દિવાલોથી બાંધેલ સાગરને બંધ પણ કેકવાર તે તૂટી પડે છે ને !" કાણ મા છે? કોના દિલની વાત કરો છો? કોના સાગરને બંધ તૂટયો ?" મેતાર્યનું દયાળુ દિલ બોલવા લાગ્યું. “કોણ મા? હું મા. ભાઈ, સંસારમાં દુઃખિયારી માતાનો કંઈ તોટો છે?” માનવીના દિલ ઉપર તીક્ષણ કરવત ફરતી હોય અને જેવા સ્વર નીકળે તેવા સ્વરે વિરૂપા બેલતી હતી. શાણી હસમુખી વિરૂપાના આ વર્તનથી મેતાર્યનું દિલ દ્રવી ઊઠયું. આ પહેલાં પણ કેટલાક પ્રસંગેથી મેતાર્યના મનમાં કંઈક શંકાઓ જન્મી હતી. એ ઘેડેથી ઊતરી વધુ નજીક ગયો. એણે કઈક ગળગળા છતાં મક્કમ અવાજે કહ્યું: “હું ઘણા વખતથી ઊં છું કે તમે મને જોઈ બેચેન બની જાઓ છે, કંઈનું કંઈ બોલી નાખે છે. ભેદ ભરી આ રીત શા માટે? આટલો મનભાર શા કારણે?” મનભાર ઓછો કરવા ઘણી ય મથું છું, કુમાર ! વ્રત, તપ પણ કરું છું. શ્રમણના ઉપદેશમાં ય જતાં ચૂકતી નથી, પણ ન જાણે શા માટે આ વાસનાનું ભૂત મારો પીછ જ છોડતું નથી.” કઈ વાસના?” સંતાનની.” “તમારે સંતાન ક્યાં છે? પારકાનાં સંતાન જોઈ શા માટે દિલ બાળા છો? મરેલાને વિસારવામાં જ બુદ્ધિમાની છે.” કેણ મરેલું? મારું સંતાન ?" વિરૂપાની આંખો ફાટી. “હા, માતા કહેતી હતી કે હું જો તે જ દિવસે તમે પણ એક બાળકીને જન્મ આપે. એ મરી ગઈ” -