________________ પ્રેમની વેદી પર 231 ગંગાને એક નાનો પ્રવાહ મહાપ્રવાહથી છૂટો પડી નાની ગિરિકંદરાઓમાં વળતો હતેઆ પ્રવાહ નાની નાની ટેકરીઓ વીંટીને વહેતો હતો, ને એ ટેકરી પરનાં નાનાં આંબાવાડિયામાં ઊના પાણીના ઝરા ખળખળ નાદ કરતા રહેતા હતા. આ ગિરિકંદરાઓના મુખભાગ પર જ “મહાતપોપતીર’ આવેલું હતું. અહીં ગેપલોક ધણ ચારવા આવતા. યાત્રીઓ દર્શનાર્થે આવતા. રોગીઓ રેગશમન માટે આવતા. આ સુંદર સ્થળની એક નાની ટેકરી પર કે જ્યાંથી આ તીર્થ થોડે દૂર હતું. બે ચંદનકાષ્ટની ચિતાઓ રચવામાં આવી. સ્મશાનયાત્રામાં સાથે આવેલ નગરલેકે સુગંધી વસાણું ને ચંદનકાઈ પણ પિતાની સાથે લાવ્યા હતા. સહુએ મરનારાઓને એ રીતે અંજલિ આપી. મેતાર્યો બંને માતાઓને માથું નમાવતાં અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ભભૂકી ઊઠી. ઘતના કુંભ રેડાવા લાગ્યા. મૃત્યુ શાન્તિને જાણે છેલ્લો યજ્ઞ મંડાયો. એ યજ્ઞમાં પ્રેમની વેદી પર બલી થનારી મગધની બે મહાનારીઓ હતી. આખરે ચિતાએ પોતાનું કામ પૂરું કર્યું. વિરૂપા? જાણે દિગંત પડઘા ફાટતું હતું. વૃક્ષો ડાળીઓ નમાવીને આક્રંદ કરતાં હતાં. કાગાનીંદરમાં લોકોને સદા સંભળાતે પેલો મીઠે સૂર યાદ આવતા હતા. એ સૂરમાં કેવી ઊંડી ને પવિત્ર છાપ એ પાડતી હતી ! પણ આ બધાં રોદણાં આજે શા કામનાં ! નગરલોક મરનારાઓના જીવનની સદા જ્વલંત જીવનને સાથે ગામ તરફ વળ્યું, પણ મેતાર્યા ત્યાં જ ઊભા રહ્યા. મહામુશ્કેલીઓ અહીં લાવવામાં આવેલ માતંગ ડે દૂર ટૂંટિયું વાળીને