________________ 222 મહષિ મેતારજ શેઠાણું તે વરઘોડામાં જ હતાં. રાણી ચેલ્લાએ તેમને ખંડમાં બોલાવી લીધાં. વિરૂપાને મૂચ્છિત દશામાં પડેલી જોઈ શેઠાણ એકદમ તેની પાસે ધસી ગયાં. “વિરૂપા, મારી સખી!” વિરૂપા બેશુદ્ધિમાં લવાર કરી રહી હતી. “મહારાજ, મને બદનામ ન કરશો. મારે પુત્ર જ હતું નહિ. હું પુત્રને ન વેચું. પુત્રને પૈસો મારે બાળહત્યા બરાબર છે. મહારાજ, મેત છીએ, પણ પ્રભુ વીરના ઉપદેશને દિલમાં ધારણ કરનાર છીએ.” અરેરે ! માતંગનું આવી બન્યું ! ના, ના. પણ શેઠાણી વળી જુદી જ વાત કરતાં હતાં; “મહારાજ, મેતાર્ય મારું સંતાન નથી. વિરૂપાનું છે. મારે ખાલી પેળે ભરવા એ હું લાવી. મહારાજ, જરા ધ્યાનપૂર્વક મેતાયનું આ શરીર જુઓને! એનું સુડોલ નાક શું વિરૂપાના અણિયાળા નાકને બંધ બેસતું નથી. અને એના આ ભોગળ જેવા બાહુ માતંગના બહુ સાથે તે સરખાવો ?" મેતાર્યનાં માતાજી એ મારાં માતાજી ગણાય, માટે જરા ભાનમાં આવીને બોલો !" મહામંત્રીએ આશ્વાસન આપ્યું. ભાનમાં તો આજે આવી છું. મેટાં કુળને નામે જગતને કચડી રહેલા લોક મેટાઈના પડદા પાછળ કેટલું છૂપાવે છે ? મંત્રી, મને પુત્ર ન આવે તો મારા ઉપર શક્ય આવે એવી સ્થિતિ હતી. આ શક્યનું સાલ ટાળવા આ પુત્રનો સોદો કર્યો. " મહામંત્રી અને હવે કોઈ વાતની શંકા ન રહી. એમણે ઈંતેજારીમાં સ્તબ્ધ બનીને બેઠેલી માનવમેદની સમક્ષ જાહેર કર્યું: “પ્રજાજને,